મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક જંગ શરૂ, કોણે કરી ટીકા ? વાંચો
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ ફરી ભાજપની તરફેણમાં રહ્યા છે અને તેની સરકાર બની રહી રહી છે. તો હવે કોંગ્રેસમાં બળવો શરૂ થઈ ગયો છે. પક્ષના નેતા સંદીપ દીક્ષિતે મધ્યપ્રદેશ કોંગ્રેસના મુખ્ય નેતાઓ કમલનાથ અને દિગ્વિજય સિંહ પર સવાલો ઉઠાવ્યા છે. દિક્ષિતે કહ્યું કે, અમારી પાર્ટી હાર બાદ ક્યારેય સમીક્ષા કરતી નથી. મે સમજાવ્યું હતું, પરંતુ કોઈએ સાંભળ્યું નથી.
સંદીપ દીક્ષિતે ભલે એમ કહ્યું હોય કે, તેમની પાર્ટી હાર બાદ મંથન કરતી નથી, જોકે ત્યારબાદ તેમણે તુરંત મધ્યપ્રદેશમાં હાર માટે પ્રદેશ નેતૃત્વને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશમાં જીતેલી ચૂંટણી કોંગ્રેસ હારી ગઈ, જેની સંપૂર્ણ જવાબદાર રાજ્યનું નેતૃત્વ જ છે, મધ્યપ્રદેશમાં હવે સીનિયર લીડર્સનો સમય ખતમ થઈ ગયો.