ભારતની પ્રથમ મહિલા જાસૂસે દેશ માટે પતિને મારી નાખ્યો, પકડાઈ ગયા બાદ જેલરે સ્તન કાપી નાખ્યા : વીરાંગના પર બનશે ફિલ્મ
1857 થી લઈને 1947નો સમય જ્યારે દેશના દરેક લોકો ગુલામીથી આઝાદી મેળવવા ઇચ્છતા હતા. નેતાઓથી લઈને સામાન્ય વ્યક્તિ સુધીના તમામ દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે 15 ઓગષ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો. ત્યારે આ સ્વતંત્રતા સંગ્રામમાં ફાળો આપનાર ભારતની પ્રથમ જાસૂસ પર ફિલ્મ બનવા જઈ રહી છે જેણે દેશ માટે પોતાના પતિને પણ મારી નાખ્યો હતો. સુભાષચંદ્ર બોઝને બચાવવા માટે પતિની હત્યા કરી નાખી હતી. ત્યારે આ વીરાંગના પર ફિલ્મ બનવા જઈ રહી છે જેનું દિગ્દર્શન કન્નડ ફિલ્મ નિર્માતા રૂપા ઐયર કરશે. આ બાયોપિક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વરુણ ગૌતમ દ્વારા લખવામાં આવશે.
SHREYAS TALPADE – ROOPA IYER: 'NEERA ARYA' MOTION POSTER…#NeeraArya Motion Poster.
— Movie Spy (@MovieSpyDotCom) January 4, 2023
Starring: #ShreyasTalpade As #NetajiSubhasChandraBose and #RoopaIyerSrivatsa As #NeeraArya.
Directed By #RoopaIyerSrivatsa.
Music By #GauthamSrivatsa
Produced By #CharanSuvarna.#MovieSpy pic.twitter.com/P91XCmvNYH
નીરા આર્ય કોણ હતી?
આ ઘટના ભારતને આઝાદી મળી તે પહેલાની છે. તે સમયે, નીરા આર્યા આઝાદ હિંદ ફોજની પ્રથમ મહિલા જાસૂસ તરીકે પ્રખ્યાત થઈ. તેમનો જન્મ 5 માર્ચ 1902ના રોજ ઉત્તર પ્રદેશના બાગપતના ખેકરા શહેરમાં થયો હતો. નાનપણથી જ, નીરા રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા માંગતી હતી અને તે આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટમાં જોડાઈ ગઈ. નીરા આર્ય નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સેનામાં હતી અને તેમના લગ્ન શ્રીકાંત જય રંજન દાસ સાથે થયા હતા.
દેશ માટે પતિની હત્યા કરી
એવું કહેવાય છે કે જ્યારે શ્રીકાંતને નેતાજી સુભાષચંદ્ર બોઝની સેનામાં હાજરીની ખબર પડી, ત્યારે તેણે તેમની જાસૂસી શરૂ કરી દીધી. તમને જણાવી દઈએ કે શ્રીકાંત ભારતમાં CID ઇન્સ્પેક્ટર હતો, પરંતુ તેના અને નીરાના વિચારો સંપૂર્ણપણે અલગ હતા. એકવાર જ્યારે નીરા બોઝને મળવા ગઈ, ત્યારે શ્રીકાંત તેની પાછળ ગયો. તે સમયે, જ્યારે શ્રીકાંતે બોઝને મારવાનો પ્રયાસ કર્યો, ત્યારે નીરુએ તેના જ પતિની હત્યા કરી દીધી. આ માટે તેમને આંદામાનમાં કાળા પાણીની સજા આપવામાં આવી હતી.
પણ છતાં, તેણીએ નમતું મૂક્યું નહીં. તે સમયે, નીરાને લાલચ આપવામાં આવી હતી કે જો તે રાજકારણીઓ વિશે અને ખાસ કરીને નેતાજી વિશે માહિતી આપશે, તો તેને જામીન મળશે. પરંતુ, તેની જેલમાં પૂછપરછ કરવામાં આવી. તેમણે ઉર્દૂ લેખક ફરહાન તાજ સાથે પોતાની વાર્તા શેર કરી અને પછી ફરહાન તાજે એક પુસ્તકમાં આ વાર્તાનો ઉલ્લેખ કર્યો.
જેલરે કપડાં ફાડી નાખ્યા અને મારા સ્તન કાપી નાખ્યા
પુસ્તક અનુસાર, તેમને જેલમાં નેતાજી વિશે પૂછવામાં આવ્યું હતું. પરંતુ, તેણી જવાબ આપતી હતી કે તેનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હતું અને આ માહિતી જાહેર હતી. પરંતુ તે સમયે નેતાજીના મૃત્યુ અંગે ઘણી થિયરીઓ હતી. આ પ્રશ્નનો જવાબ પૂછવા માટે તેને ત્રાસ આપવામાં આવ્યો. એક દિવસ તેણે ગુસ્સામાં કહ્યું કે તે મારા હૃદયમાં છે. આના પર જેલરે કહ્યું કે જો નેતાજી તેમના હૃદયમાં છે તો તેમને બહાર કાઢો. આ પછી એક જેલરે મારા કપડાં ફાડી નાખ્યા અને બ્રેસ્ટ રીપરથી મારા સ્તન કાપી નાખ્યા.
જોકે, જેલમાં બંધ નીરા આર્યને આઝાદી પછી મુક્ત કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે આ પછી તેમણે બાકીનું જીવન ફૂલો વેચવામાં વિતાવ્યું. હૈદરાબાદના લોકો તેમને પ્રેમ અને આદરથી ‘પેડમ્મા’ તરીકે યાદ કરે છે. 26 જુલાઈ 1998ના રોજ, નીરા આર્યએ હૈદરાબાદની ઓસ્માનિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પરંતુ, તેમની કહાની આજે પણ જીવંત છે અને હંમેશા દેશ માટે સમર્પિત રહેવાની પ્રેરણા આપતી રહેશે.