મ્યાનમાર અને થાઈલેન્ડને મદદ માટે ભારત તૈયાર : મોદીએ સહાનુભૂતિ વ્યક્ત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી અને આ સંકટની ઘડીમાં અસરગ્રસ્ત દેશો સાથે ભારતની સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું, ભૂકંપ બાદની સ્થિતિને લઈ ખૂબ ચિંતામાં છું. તમામની સુરક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું. સંકટના સમયમાં ભારત મ્યાનમાર અને થાઈલેન્ડને શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ મામલે અધિકારીઓને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત વિદેશ મંત્રાલયને પણ મ્યાનમાર અને થાઈલેન્ડ સરકારના સંપર્કમાં રહેવા કહ્યું છે.
ભારતે પણ આ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે પગલાં લીધાં છે. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય અધિકારીઓને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે સતર્ક રહેવા નિર્દેશ આપ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) ને મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્ક જાળવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત પહોંચાડી શકાય.