ભારતે પાકિસ્તાન પર કરી વોટર સ્ટ્રાઈક : બગલિહાર ડેમ બંધ કરી રોક્યું ચિનાબ નદીનું પાણી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ મોદી સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. બંને દેશોની સેનાઓ સામસામે છે. હવે ભારતે ચિનાબ નદી પર આવેલો ડેમ બંધ કરી દીધો છે. સિંધુ જળસંધિ તોડ્યાના લગભગ 10 દિવસની અંદર મોદી સરકારે આ પગલું ભર્યું છે. આનાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતને ચિનાબ નદીમાંથી મળતા પાણીના પુરવઠામાં મોટો ઘટાડો થઈ શકે છે. એ જે રીતે કિશન ગંગા ડેમ પણ બંધ કરી શકાય છે.
ભારતે ચિનાબ નદી પર બનેલા બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા છે. જેના કારણે પાકિસ્તાન તરફ વહેતા ચિનાબ નદીના પાણીમાં ભારે ઘટાડો થયો છે. ચિનાબ પરનો બગલીહાર ડેમ નદીના પ્રવાહમાં વહેતા હાઇડ્રો પાવર પ્લાન્ટ તરીકે બનાવવામાં આવ્યો હતો. એટલે કે અત્યાર સુધી આ બંધમાંથી પાણીનો પ્રવાહ રોકી રહ્યો ન હતો. પાણીના પ્રવાહમાં વિક્ષેપ પાડ્યા વિના વીજળી ઉત્પન્ન થઈ રહી હતી.
ચિનાબ જળસંધિ હેઠળ ઉલ્લેખિત છ નદીઓમાંથી એક છે. આ એક પશ્ચિમી નદી છે અને સંધિ મુજબ, ભારત આ નદીના પાણીનો ઉપયોગ જળવિદ્યુત ઉત્પાદન માટે કરી શકે છે. હવે પછી કિશનગંગા ડેમ પણ બંધ કરવામાં આવી શકે છે અને તબક્કાવાર પાક સામે સરકાર આકરા પગલાં જાહેર કરી રહી છે . કિશનગંગા ડેમ ઝેલમ નદી પર આવેલો છે .
વાયુ સેનાના વડા સાથે વડાપ્રધાનની મહત્વની મુલાકાત
રવિવારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની પૃષ્ઠભૂમિ સામે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નોંધનિય છે કે, અગાઉ નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી શનિવારે વડાપ્રધાનને મળ્યા હતા અને તેમને અરબી સમુદ્રમાં મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોની એકંદર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. આમ 24 કલાકમાં વડાપ્રધાને બે મહત્વના સેના વડાઓ સાથે બેઠકો કરી છે.
દારૂગોળાનું ઉત્પાદન ઝડપી , ફેક્ટરીઓમાં કર્મીઓની રજાઓ રદ
ભારત સખત એક્શન માટે તૈયારી કરે છે અને તેના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી દારૂગોળો બનાવટી ફેક્ટરીઓમાં કર્મીઓની રજાઓ રદ કરી દેવાઈ છે અને જે રજા પર છે એમને પાછા બોલાવી લેવામાં આવ્યા છે . મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં આ ફેક્ટરીઓ આવેલી છે . દારૂગોળાનું ઉત્પાદન વધારવામાં આવી રહ્યું છે . એપ્રિલ માસમાં ઉત્પાદન ઓછું થયું હતું. આમ તૈયારી ગતિશીલ બનીછે .