યુપી સહિત કેટલા રાજ્યોમાં કોમી અશાંતિ સર્જતા બનાવ બન્યા ? વાંચો
ઉત્તર પ્રદેશનું બહરાઈચ શહેર કોમી હિંસાની આગમાં સળગી રહ્યું છે. જ્યાં હજુ તંગદિલીનો માહોલ થાળે પડ્યો નથી. દેશમાં માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, છેલ્લા કેટલાક દિવસોથી દેશના અન્ય પાંચ રાજ્યો પણ કોમી તોફાનોનો સામનો કરી રહ્યા છે. યુપીના બહરાઈચ ઉપરાંત છેલ્લા 3-4 દિવસમાં તેલંગાણા,પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યોમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, અથડામણના બનાવો બન્યા છે. બહેરાઇચમાં હજુ પણ ટેશન છે અને તેની વચ્ચે મંગળવારે યોગી આદિત્યનાથ પીડિત પરિવારને મળ્યા હતા.
તેલંગણા
તેલંગાણાના સિકંદરાબાદ જિલ્લામાં મુથ્યાલમ્મા મંદિરમાં અજાણ્યા લોકોએ તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તોડફોડની ઘટના બાદ દેખાવો શરુ થયા હતાં.
બંગાળમાં તોડફોડ
બંગાળમાં 13 ઑક્ટોબરની રાત્રે દુર્ગા પંડાલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટના હાવડા જિલ્લાના શ્યામપુર વિસ્તારમાં બની હતી. ભાજપનો દાવો છે કે આ દરમિયાન દેવી દુર્ગાની મૂર્તિને પણ નુકસાન થયું હતું.ટોળાએ . દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી શ્યામપુર બજાર વ્યાપાર સમિતિના પૂજા પંડાલમાં મૂર્તિઓને આગ લગાવી હતી
કર્ણાટકમાં અશાંતિ
કર્ણાટકના બેલગાવી જિલ્લામાં બે જૂથો વચ્ચે અથડામણના અહેવાલો મળ્યા હતા, આ ઘટના 13 ઑક્ટોબરે બની હતી. આરોપ છે કે રાત્રે દેવી દુર્ગાની મૂર્તિનું અપમાન કરવામાં આવ્યું હતું. અથડામણમાં 3 લોકો ઘાયલ થયા છે, 2 બાઇક અને 1 કારને નુકસાન થયું છે.
ઝારખંડમાં અથડામણ
13 ઑક્ટોબરે ઝારખંડના ગર્હવામાં આવી જ ઘટના બની હતી. મૂર્તિના વિસર્જન દરમિયાન ગ્રામજનો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ગામલોકો મૂર્તિને એ જ માર્ગ પરથી લઈ જવા માગતા હતા કે જેના પર પોલીસે બેરિકેડ કર્યુ હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.