મહાદેવ એપ કૌભાંડમાં નવો વણાંક, બઘેલને 508 કરોડ અપાયા છે એવું મેં ક્યારેય નથી કહ્યું
ઈ. ડી. એ પકડેલા આરોપીનો ધડાકો
મહાદેવ એપ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલને કથિત રીતે 508 કરોડ રૂપિયા અપાયા હોવાની ઘટનામાં નવો ધડાકો થયો છે. ઈ. ડી. એ જે વ્યક્તિની કબુલાતના આધારે ભુપેશ બઘેલ સામે આક્ષેપ કર્યો હતો એ મહાદેવ એપના કહેવાતા કુરિયર અસીમ દાસે પોતે ક્યારેય એવી કબુલાત ન આપી હોવાનો અને તેના નામનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું જણાવતો પત્ર જેલમાંથી ઇડીના ડાયરેક્ટરને લખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં મતદાનના ત્રણ દિવસ પૂર્વે જ ઇડીએ ભુપેશ બઘેલને મહાદેવ એક તરફથી 508 કરોડ રૂપિયા મળ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.
છત્તીસગઢમાં ઇડી એ ત્રીજી નવેમ્બરના રોજ અસીમ દાસ નામના શખ્સને ત્રણ કરોડ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. આ શખ્સે પૂછપર દરમિયાન મહાદેવ એપ દ્વારા છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલને 508 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાની કબુલાત કરી હોવાનો ઇડીએ દાવો કર્યો હતો.
હવે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ અસીમ દાસે જેલમાંથી લખેલા પત્રમાં જણાવ્યા મુજબ પોતે ક્યારે ભુપેશ બઘેલને પૈસા ચૂકવાયા હોવાની કબુલાત ન આપી હોવાનું જણાવ્યું છે. પત્રમાં તેણે પોતે ઇંગલિશ ભાષા નહી જાણતો હોવાનો અને ઇડી એ બળજબરીપૂર્વક ઇંગ્લિશમાં લખાણ લખેલા એક કાગળ ઉપર પોતાની સહી લઈ લીધી હોવાનો ખુલાસો કર્યો છે.નોંધનીય છે કે કોંગ્રેસ અને ભૂપેશ બઘેલે ઇડી ના આક્ષેપોને નકારી કાઢી,ભાજપ ચૂંટણી સમયે બઘેલ ની પ્રતિષ્ઠા ખરડાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સી નો ગેર ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભાજપે આ મુદ્દો ચગાવ્યો હતો
ઈડીયા આપેલા નિવેદન બાદ ભાજપે ભૂપેષ બઘેલ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. ન્યૂઝ ચેનલોએ પણ બઘેલને ભ્રષ્ટાચારી હોવાનું પ્રમાણપત્ર આપી આ મુદ્દે ભારે શોર બકોર કર્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ,’ બાઘેલે મહાદેવ ના નામને પણ ન છોડ્યું ‘ એમ કહી ને કોંગ્રેસ સરકારની તુલના લૂંટારુ સાથે કરી હતી