ચીનમાં કેવી થઈ તબાહી ? શું થયું ?
- કેટલા લોકોના મોત ?
- કેટલા લોકો ઘાયલ થયા ?
ચીનમાં મોડી રાત્રે ઉત્તર-પશ્ચિમના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે ૪૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપની તીવ્રતા 6.2ની માપવામાં આવી હતી અને તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. ભૂકંપના કારણે અનેક જગ્યાએ નુકસાન થયુ છે.
રાહત અને બચાવ કાર્ય માટે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અમેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર આ ભૂકંપ ગાંસુના લિન્ઝિયા ચેંગગુઆનઝેનથી લગભગ 37 કિમી અને લાન્ઝોઉ ગાંસુથી લગભગ 100 કિમી દૂર આવ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંપૂર્ણ સર્ચ ઓપરેશન અને ઝડપી બચાવ કાર્ય, અસરગ્રસ્તોનું યોગ્ય પુનર્વસન અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટેના મહત્તમ પ્રયાસો સહિતના ભૂકંપ સંબંધિત મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા.