ચાલુ માસના પખવાડિયામાં વિદેશી રોકાણકારોએ કેટલા રૂપિયા કાઢ્યા ? જુઓ
શેરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો ઉપાડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વૈશ્વિક વેપાર પર વધતા તણાવ વચ્ચે એફપીઆઇએ માર્ચના પ્રથમ પખવાડિયામાં એટલે કે 15 દિવસમાં શેરબજારોમાંથી 30,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડી લીધી છે. અગાઉ, વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીમાં બજારમાંથી રૂ. ૩૪,૫૭૪ કરોડ અને જાન્યુઆરીમાં રૂ. ૭૮,૦૨૭ કરોડ પાછા ખેંચી લીધા હતા. અમેરિકાઆની નકારાત્મક નીતિ પણ નડી રહી છે.
ડિપોઝિટરી ડેટા અનુસાર, 2025 માં અત્યાર સુધીમાં,એફપીઆઈએ ભારતીય શેરબજારમાંથી કુલ રૂ. 1.42 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે. આ રીતે ઘણા સમયથી એમનો ઉપાડ ચિંતાજનક રીતે વધી રહ્યો છે . આમ આ રીતે જ જો ચાલુ રહે તો ઘણી મુસીબ પડી શકે છે અને સ્થાનિક રોકાનકલારોમાં પણ ભારે નિરસતા આવી ગઈ છે અને આવતા દિવસોમાં પણ ઘણા રોકાણ પાછા ખેંચાઇ જશે
માહિતી અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારએ આ મહિને (૧૩ માર્ચ સુધીમાં) શેરબજારોમાંથી ૩૦,૦૧૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ તેમનો ચોખ્ખો ઉપાડનો સતત ૧૪મો સપ્તાહ છે. અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને કારણે, એફપીઆઈ ઘણા સમયથી સતત વેચવાલી કરી રહ્યા છે.
“રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ યુએસ વેપાર નીતિઓ પર ચાલી રહેલી અનિશ્ચિતતાએ વૈશ્વિક સ્તરે જોખમ લેવાની ક્ષમતા પર ભાર મૂક્યો છે. આવી સ્થિતિમાં એફપીઆઈ ભારત જેવા ઉભરતા બજારો પ્રત્યે સાવધ વલણ અપનાવી રહ્યા છે.