ચારધામ યાત્રા માટે કેટલા લાખનું રજીસ્ટ્રેશન ? જુઓ
દેશમાં ચારધામ યાત્રા માટે ભાવિકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. ઉત્તરાખંડમાં 10મી મેથી ચારધામ યાત્રા શરૂ થાય તે પહેલા શ્રદ્ધાળુઓના રજિસ્ટ્રેશનનો રેકોર્ડ તુટી ગયો છે. પ્રવાસન વિભાગે 15 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ કર્યા બાદ એક સપ્તાહમાં રજીસ્ટ્રેશનની સંખ્યા 12.48 લાખ પર પહોંચી ગઈ છે. આ એક નવો રેકોર્ડ થયો છે. દેશ અને દુનિયાભરમાંથી ભાવિકો આવે છે.
પ્રવાસન વિભાગના રિપોર્ટ મુજબ કેદારનાથ માટે 4,22,129, બદરીનાથ ધામ માટે 3,56,716, ગંગોત્રી ધામ માટે 2,31,983, યમુનોત્રી ધામ માટે 2,19,619 અને હેમકુંડ સાહિબ માટે 17,684 શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
ગત વર્ષે લગભગ ચાર લાખ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, ચારધામ યાત્રા માટે સૌથી વધુ રવિવારે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ 10 મેએ ખુલવાના છે, જ્યારે તેના બે દિવસ બાદ બદરીનાથ ધામના કપાટ 12 મેએ ખોલવામાં આવશે.