યુપીમાં કેવી સર્જાઇ દુર્ઘટના ? વાંચો
કેટલા લોકોના મોત થયા ?
ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં મોટો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. . એક હાઇટેન્શન વાયર લગ્નના જાનૈયાને લઈ જતી ચાલુ બસ પર પડતાં બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી જેના કારણે 5 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ બસ દુર્ઘટનામાં અન્ય કેટલાક જાનૈયા ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃત્યુઆંક વધવાની પણ શંકા છે. પીડિતોમાં કેટલાક બાળકો પણ શામેલ છે. અડધી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. લગ્નના જનિયાઓની બસમાં ચીસાચીસ થઈ ગઈ હતી અને આસપાસના ગામલોકો દોડી આવ્યા હતા. 11 હજાર વૉલટનો હાઈટેન્શન વાયર તૂટીને બસ પર પડતાં જ બસ આગની લપટોમાં ઘેરાઈ ગઈ હતી.
આ બસ એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહી હતી. તે સમયે આ દુર્ઘટના મરદહમાં સર્જાઈ હતી. જિલ્લાના ડીએમ અને એસપી સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. . આ બસ મઉના કોપાગંજથી જાનૈયાઓને લઈને મરદહના મહાહર ધામ આવી રહી હતી. આ દરમિયાન કાચા રોડથી આવતી બસને અકસ્માત નડ્યો હતો. બસમાં 35થી વધુ લોકો સવાર હતા.
આ ઘટના પર સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતાં અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા સૂચના આપી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના વર્તુળોએ જણાવ્યું હતું. કેટલાક બાળકો પણ આગની ચપેટમાં આવી ગયા હતા.