દિલ્હીના કોહાટ એન્ક્લેવમાં એક વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો મંગળવારે સામે આવ્યો હતો. ૨ થી ૩ દિવસ પહેલા કોઈએ તેનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ઘરના ત્રીજા માળેથી મૃતદેહો મળી આવ્યા હતા. ઘટનાની જાણ થાય તે પહેલાં જ ઘરનો નોકર ગુમ થઈ ગયો હતો. તેથી, એવી આશંકા છે કે લૂંટ પછી, તેમને અલગ અલગ રૂમમાં બંધ કરીને હત્યા કરવામાં આવી હશે.
પ્રાથમિક તપાસ મુજબ, મૃતદેહો 2 થી 3 દિવસ જૂના છે. મંગળવારે સવારે વૃદ્ધ દંપતીનો દીકરો ઘરે આવ્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવ હતી. . મળતી માહિતી મુજબ, દીકરો બીજા ઘરમાં રહે છે. જ્યારે તેણે તેના માતાપિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને કોઈ જવાબ મળ્યો નહીં અને તે નોકરનો સંપર્ક પણ કરી શક્યો નહીં. તેથી, તે ઘરે આવ્યો અને જાણવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેણે ઘરની અંદર જઈને જોયું તો તેને ઘટનાની ખબર પડી. પુત્રએ ઘટના અંગે સંબંધિત પોલીસ સ્ટેશન પર જાણ કરી દીધી હતી.
પોલીસ વિવિધ પાસાઓ પર તપાસ કરી રહી છે. ઘરના બધા સભ્યો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. મૃતક મોહિન્દર સિંહ અને તેમની પત્ની દિલરાજ કૌર લગભગ 70 વર્ષના હતા. જોકે, હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી કે કોઈએ બંનેની હત્યા કેમ કરી. પરંતુ, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે લૂંટના પ્રતિકારના જવાબમાં હત્યા કરવામાં આવી હશે.