16 વર્ષના કિશોરનું કેવી રીતે થયું મૃત્યુ ?
મધ્યપ્રદેશના રતલામના કોલેજ ગ્રાઉન્ડમાં એક કિશોરની દોડતી વખતે અચાનક તબિયત બગડી ગઈ અને તે બાદ તેનું હોસ્પિટલમાં મોત નીપજ્યુ હતું. પરિવારના જણાવ્યા અનુસાર આશુતોષ સવારે 6 વાગ્યાની આસપાસ પોતાના મિત્રો સાથે કોલેજ ગ્રાઉન્ડમાં દોડવા માટે ગયો હતો. થોડા સમય બાદ જ હોસ્પિટલથી તેના મિત્રનો ફોન આવ્યો અને પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કરી દીધો હતો.
આશુતોષ કોલેજ ગ્રાઉન્ડમાં દોડી રહ્યો હતો અને અચાનક જ તેને ચક્કર આવ્યા અને બેભાન થઈ ગયો. જે બાદ ત્યાં હાજર તેના મિત્ર અને અમુક અન્ય લોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.
આશુતોષનું સપનુ આર્મીમાં જવાનું હતુ. તે અગિયારમાં ધોરણનો વિદ્યાર્થી હતો. છેલ્લા કેટલાક દિવસથી તે મિત્રો સાથે કોલેજ ગ્રાઉન્ડ પર રનિંગ માટે જતો હતો. આશુતોષ ઘરે પણ કસરત કરતો હતો. પરિવારજનોએ કહ્યુ તેને કોઈ પ્રકારની બીમારી નહોતી.