ઝારખંડમાં હેમંત સોરેનનો જાદુ : ઇન્ડિયા ગઠબંધનનો ભવ્ય વિજય, ‘કટોગે બટોગે’ ઉપર ‘જેલ કા બદલા જીત ‘ સૂત્ર ભારે પડ્યું
ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધને 81 માંથી 56 બેઠકો પર વિજય મેળવી સત્તા પુનઃ હસ્તગત કરી હતી. 34 બેઠકો મેળવી જે એમ એમ સૌથી મોટી પાર્ટી તરીકે ઉપરી આવી હતી. કોંગ્રેસનો ગત ચૂંટણી જેટલી જ એટલે કે 16 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં 25 બેઠકો મેળવનાર ભાજપ એ ચાર બેઠકો ગુમાવતા તેનું ગાડું 21 ઉપર અટકી ગયું હતું.
ઝારખંડમાં જે એમ એમ કોંગ્રેસ આરજેડી અને સીપીઆઈ ( એમ એલ) ના બનેલા ઇન્ડિયા ગઠબંધન અને ભાજપ એ જી એસ યુ પી, એલજેપી અને જેડીયુ ના બનેલા એનડીએ ગઠબંધન વચ્ચે કાંટાની ટકર હતી.
ભારતીય જનતા પક્ષના ટોચના નેતાઓએ ઝારખંડમાં આક્રમક પ્રચાર કર્યો હતો. પ્રચારનો સુકાન આસામના મુખ્યમંત્રી હિમતા બિસવા સરમાએ સંભાળ્યું હતું.ભાજપે બાંગ્લાદેશી અને રોહિંગિયા ઘૂસણખોરીને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ‘ એ ‘ લોકો રોટી, બેટી અને માટી છીનવી જશે તેવી મતદારોને ચેતવણી આપી હતી. યોગી આદિત્યનાથનું બટોગે તો કટોગે સૂત્ર મહારાષ્ટ્રની જેમ જ ઝારખંડમાં પણ ગાજતું રહ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે યોગી આદિત્યનાથે રામ જન્મભૂમિ બાદ મથુરામાં કૃષ્ણ મંદિર નિર્માણનો પણ હુંકાર કર્યો હતો.
બીજી તરફ હેમંત સોરેન ને થયેલા જેલવાસ બાદ તેમની તરફેણમાં સહાનુભૂતિ મોજુ હતું. હેમંત સોળે ને તેમને પહેલા અન્યાયનો બદલો લેવા માટે ‘ જેલ કા બદલા જીત’ સૂત્ર આપ્યું હતું.તેમના પત્ની કલ્પના સોરેને પ્રચાર અભિયાનની તમામ સંભાળી 70 કરતાં વધુ સભાઓ ગજાવી હતી. ચૂંટણી પહેલા એક સમયના હેમંત સોરેન ગાઢ સાથી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા.
તેમના પક્ષ પલટા ને કારણે આદિવાસી સમુદાયનો ભાજપને ટેકો મેળવાની ભાજપની આશા જો કે ઠગારી સાબિત થઈ છે.નોંધનીય છે કે ચંપાઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેનનો પણ ઘાટસિલાની બેઠક ઉપર પરાજય થયો હતો. બીજી તરફ હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન અને પુત્ર બસંત સોરેન વિજયી થયા હતા.આ ચૂંટણીમાં ભારે ચર્ચા જગાવનાર જયરામ મહંતેઓની ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચાને માત્ર એક જ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.
બોક્સ
ઇન્ડિયા ગઠબંધન
જેએમએમ. 34
કોંગ્રેસ. 16
આરજેડી. 04
CPI ML. 02
એનડીએ ગઠબંધન
ભાજપ. 21
એજેએસયુપી. 01
એલજેપી. 01
જેડીયુ. 01
અન્ય પક્ષો
જેએલકેએમ. 01
