બાબા રામદેવની કંપનીને જીએસટીએ મોકલી રૂપિયા 27 કરોડ વસૂલવા અંગેની નોટિસ
ઈનપુટ ટેક્સ ક્રેડિટનો મામલો: શોકોઝ નોટિસ મળ્યા બાદ કાયદાકીય સલાહ લ્યે છે
પતંજલિ સમૂહની મુશ્કેલી ઓછી થતી નથી. અદાલતમાં કેસ ચાલી રહ્યો છે અને હવે જીએસટી વિભાગે નોટિસ મોકલી છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ અંગે સવાલો કરાયા છે. પતંજલિ ફૂડ્સને જીએસટી ઇન્ટેલિજન્સના હરિયાણા યુનિટ દ્વારા નોટિસ પાઠવાઈ હતી. બાબાને રૂપિયા 27 કરોડની નોટિસ અપાઈ છે. પેનલ્ટી શા માટે વસૂલવામાં ન્ આવે તેવો સવાલ પણ કરાયો છે.
નોટિસમાં એવો સવાલ બાબાને કરાયો છે કે રૂપિયા 27.46 કરોડના ઈનપુટ ટેક્સ ક્રેડિટ તમારી કંપની પાસેથી શા માટે વસૂલવામાં ના આવે. આ શોકોઝ નોટિસનો જવાબ હવે બાબાએ આપવાનો છે. બાબા અને એમના ટીમના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
પતંજલિ ફૂડ્સ દ્વારા મીડિયાને એવી મહિતી અપાઈ હતી કે અત્યારે તો ફક્ત શોકોઝ નોટિસ મળી છે. અમે અમારો પક્ષ રાખવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ.