Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પાટીદાર અનામત આંદોલન સમયના 14 કેસ પાછા ખેંચતી સરકાર

Fri, February 7 2025

હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાને રાષ્ટ્રદોહ કેસમાં રાહત 

સરકારના નિર્ણયને હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ આવકાર્યો : અન્ય કેસ પણ પરત ખેંચવા માંગણી

રાજ્યમાં વર્ષ 2015 પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર નેતાઓ સામે નોંધવામાં આવેલા રાષ્ટ્રદ્રોહ સહિતના 14 કેસ રાજ્ય સરકારે પરત ખેંચી લેવામાં આવ્યા હોવાનું રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું. બીજીતરફ સરકારના આ નિર્ણયનો પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો તેમજ ખોડલધામના નરેશ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે.જો કે, એસપીજી નેતા લાલજી પટેલ અને જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ પાટીદાર અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવા જોઇએ તેમ જણાવ્યું હતું.

અનામતની માંગ સાથે વર્ષ 2015માં રાજ્યમાં પાસ અને એસપીજી દ્વારા પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર આગેવાનો વિરુદ્ધ રાજ્યભરમાં રાષ્ટ્રદોહથી લઈ રાયોટીંગ સહિતના અસંખ્ય ગુન્હા નોંધવામાં આવ્યા હતા. આ કેસો પૈકી અતિ ગંભીર પ્રકારના લગભગ 14 કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય સરકારે લીધો હોવાનું ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું. સરકારે જે કેસ [પરત ખેંચવા નિર્ણય કર્યો છે તેમાં 8 કેસ અમદાવાદના, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગરના અને 1 કેસ મહેસાણા મળી કુલ 14 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે તેવું જાહેર થયું છે.

વધુમાં ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા અંગેની જાહેરાત કરતા જ જે તે સમયના રાષ્ટ્રદ્રોહ કેસના આરોપી અને હાલમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આભાર કરતી પોસ્ટમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન મારા અને સમાજના અનેક યુવાનો પર થયેલા ગંભીર રાજદ્રોહ સહિતના ગુનાઓ ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે. હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનું છું.

બીજી તરફ જાણીતા વકીલ જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે સરકારે 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. જેમાં બે દેશદ્રોહના કેસ છે. આ કેસમાં હાર્દિક પોતે તહોમતદાર છે. આ સિવાય અન્ય 12 કેસો પણ પાછા લેવાનો સરકારે નિર્ણય લીધો હતો. હું તેની રાજકીય રીતે કોઇ તુલના કર્યા સિવાય એટલા માટે આવકારું છું કેમ કે જે તે સમયે આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા. અને જો સરકારને આટલા સમય પછી શાણપણ સૂઝ્યું હોય તો મોડા તો મોડા હું સરકારના નિર્ણયની ટીકા નહીં કરું.

જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે, સરકારે 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. જેમાં બે દેશદ્રોહના કેસ છે. આ કેસમાં હાર્દિક પોતે તહોમતદાર છે. આ સિવાય અન્ય 12 કેસો પણ પાછા લેવાનો સરકારે નિર્ણય કર્યો છે. હું આ બાબતે રાજકીય રીતે કોઇ તુલના કર્યા સિવાય આવકારું છું કારણ કે, જે તે સમયે આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા. જો તમે હાર્દિક અને તેના સાથીદાર સામેના કેસ પાછા ખેંચો છો તો નાના માણસો વિરુદ્ધ કરવામાં આવેલ કેસ પણ પાછા ખેંચો, એ લોકોએ શું ગુનો કર્યો છે. તમારે યુદ્ધના ધોરણે તમામ કેસો પરત ખેંચી લેવા જોઇએ અને નાના માણસોને પણ ન્યાય આપવો જોઇએ.

Share Article

Other Articles

Previous

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ-ઈમિગ્રેશનને ગ્રીન સિગ્નલ: વેકેશનથી વિદેશની ફ્લાઈટ થશે ટેકઓફ

Next

પ્લમ્બરના ઘરમાં તસ્કરો ઘૂસ્યા, બધાને રૂમમાં પૂરીને ઘરેણા-રોકડ ચોરી ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
4 કલાક પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
4 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
5 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

ગુજરાત ૧૦ વર્ષમાં ૨.૦૬ લાખ સરકારી નોકરીઓ આપશે
ગુજરાત
7 મહિના પહેલા
રાજકોટ આઈ.ટી.રિકવરી કરશે: મોટા આંકડામાં ટેક્સ નહી ચૂકવનારાનું “લિસ્ટ” બન્યું
રાજકોટ
8 મહિના પહેલા
T-20માં દક્ષિણ આફ્રિકાના સુપડા સાફ કરતું વેસ્ટ ઈન્ડિઝ
ગુજરાત
1 વર્ષ પહેલા
કોલકતા કાંડ : મમતા બેનર્જી રાહ જોતા રહ્યા અને તબીબો મુલાકાત માટે ગયા જ નહીં, વિરોધ પ્રદર્શન યથાવત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર