Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગોંડલ રાજકુમાર જાટનો સંદિગ્ધ મૃત્યુ કેસ ખૂલ્યો : હાઇકોર્ટે SP ડેલુને સોંપી તપાસ, સમગ્ર ઘટનાની એકડેએકથી તપાસ આરંભાશે

Thu, October 16 2025

ગોંડલમાં રહેતા રાજસ્થાનના વતની રાજકુમાર રતનલાલ ચૌધરી જાટ નામના યુવકને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેની સાથેના ઈસમો દ્વારા માર માર્યા બાદ લાપત્તા રાજકુમાર જાટની ત્રણ દિવસ પછી રાજકોટ નજીક કુવાડવા હાઇ-વે પર બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યાની સંદિગ્ધ ઘટનામાં હાઈકોર્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને ટીમ બનાવીને તપાસના આદેશ કર્યા છે. સાત માસથી વધુ સમયથી ચર્ચાસ્પદ બનેલા કેસમાં તપાસ ખૂલતા ચકચાર જાગી છે. ગોંડલમાં ત્રણેક દશકાથી વધુ સમયથી રહેતા અને ગોંડલ ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામે વ્યવસાય કરતાં રતનલાલ જાટનો એન્જિનિયર પુત્ર રાજકુમાર જાટ યુપીએસસીની તૈયારી કરતો હતો. ગત તા.2 માર્ચના રોજ રાજકુમાર તથા તેના પિતા બન્ને બાઈક પર જઈ રહ્યા હતા. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલો પાસે જ પિતા-પુત્ર ઝઘડી પડ્યા હતા. જેને ઘટનામાં પૂર્વ એમએલએ પુત્ર ગણેશે પિતા-પુત્રને ઘરમાં લઈ જઈ અન્ય ઈસમો સાથે મળીને મારકૂટ કરી હતી. ત્યારબાદ તા.3 માર્ચના મોડીરાત્રીના રાજકુમાર લાપત્તા બની ગયો હતો.

રાજકુમાર જાટ લાપત્તા બન્યા બાદ તા.3ના રોજ વહેલી સવારે ગોંડલ હાઈ-વે ભરૂડી ટોલનાકાથી કુવાડવા હાઈ-વે સુધી પગપાળા જતો સીસીટીવીમાં દેખાયો હતો. રસ્તામાં નગ્ન હાલતમાં ચાલીને જતો હતો અને કોઈકે કપડાં પણ આપ્યા હતા. પગપાળા કુવાડવા પાસેના રામધામ આશ્રમમાં રાત્રીના પ્રવેશ્યો હતો. ત્યાંથી તા.4ની વહેલી સવારે નીકળ્યો અને આશ્રમથી પગપાળા જતાં અર્ધો કિલોમીટર જેવા અંતરે જ બસની ઠોકરે મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો :ભાજપનો દરેક કાર્યકર્તા મારું ઘરેણું! દિગ્ગજ નેતાઓ,રાજકોટના લોકોના, ઉદ્યોગોના, ધરોહરના ભરપેટ વખાણ કરી ફુલડે વધાવતાં પ્રદેશ પ્રમુખ

જે તે સમયે રાજકુમારના પિતાએ પુત્ર ગૂમ થયાની અને ગણેશે માર માર્યાના અક્ષેપ સાથેની ગોંડલ પોલીસમાં ફરિયાદ આપી હતી. લાપત્તા રાજકુમારની લાશ અજાણ્યા યુવક તરીકે મળી હતી અને બે દિવસ બાદ ઓળખ મળી હતી. મૃત્યુ અંગે થયેલા આક્ષેપોમાં ગોંડલ તથા રાજકોટ શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરાયા હતા અને બસની ઠોકરે મૃત્યુ થયાનું એ સમયે ખૂલ્યું હતું. કુવાડવા રોડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ખાનગી ટ્રાવેલ્સના ચાલકની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :પ્રધાનમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ: મહાત્મા મંદિરમાં 17 ઓક્ટોબરે યોજાશે શપથવિધિ સમારોહ, જાણો કોણ પડતું મુકાઇ શકે-કોની થઈ શકે એન્ટ્રી?

પુત્રનું મૃત્યુ અકસ્માતથી નહીં હત્યા કરાઈ હોવાની આશંકા સાથે રાજકુમારના પિતાએ ગણેશ સહિતના સામે આક્ષેપો અને લેખિત અરજી આપી હતી. પોલીસ દ્વારા અકસ્માતથી જ મૃત્યુ થયાના પુરાવા અપાયા હતા. સંનિગ્ધ મૃત્યુની સમગ્ર ઘટના અંગે રાજકુમારના પિતા રતનલાલ જાટે હાઈકોર્ટમાં ધા નાખી સીબીઆઈની તપાસની માગણી કરી હતી. ચાર દિવસ પૂર્વે હાઈકોર્ટ દ્વારા ફરિયાદ અને રજૂ થયેલા પૂરાવાઓ સહિતના મુદ્દાઓ ધ્યાને લઈને તપાસ સીબીઆઈને સોંપવા યોગ્ય ગણાવી હતી. સાથોસાથ રાજ્ય સરકારને રાજકોટ એસપી સિવાયના અન્ય ત્રણ એસપીને તપાસ સોંપવા માટે નામ આપવા કહ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટને પણ હાઈકોર્ટે શંકાસ્પદ ગણાવ્યો હતો.

વધુ સુનાવણી આજે થતાં સરકાર પક્ષે વકીલ દ્વારા નામો અપાયા તેમજ ફરિયાદી પક્ષે અલગ-અલગ એસપી કક્ષાના અધિકારી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ, જામનગર એસપી ડો.રવિમોહન સૈની, ભાવનગર એસપી નીતિશ પાંડે, અજીત રાજીયાન, ઓમપ્રકાશ જાટના નામ સૂચિત કરાયા હતા જેમાં સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ પર બન્ને પક્ષે સર્વ સહમતી થઈ હતી. હાઈકોર્ટ દ્વારા એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા હુકમ કરાયો હતો. એસપી ડેલુ સાથે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી. પુરોહિત તેમજ અન્ય સ્ટાફ સાથેની ટીમ જોડાશે. નિષ્પક્ષ કડક અધિકારીની છાપ ધરાવતા ડેલુના વડપણ હેઠળ હવે ઘટના બની ત્યારથી રાજકુમારનું મૃત્યુ થયું ત્યાં સુધી તપાસ તા.2 માર્ચથી 15 માર્ચ સુધીની તપાસ નવેસરથી થશે.

ગોંડલ તથા રાજકોટ પોલીસ પાસેથી તપાસના દસ્તાવેજી કાગળો મંગાવાયા

ગોંડલ રહેતા રાજકુમાર જાટને ગણેશ સહિતના દ્વારા માર મરાયો, બાદમાં રાજકુમાર લાપત્તા બન્યો હતો. તેના પિતાએ ફરિયાદ આપી હતી. તે તપાસ ગોંડલ પોલીસે જે તે સમયે ચલાવી હતી. જ્યારે રાજકુમાર ગોંડલથી 54 કિલોમીટરના અંતરે પહોંચ્યો અને કુવાડવા પાસેથી તેની લાશ મળી હતી જે લાશમાં આરંભે એ.ડી. નોંધાઈ, ત્યારબાદ તપાસમાં રાજકુમારને બસની ઠોકર લાગી અને મૃત્યુ થયું હતું. તે સીસીટીવીમાં દેખાતા સીસીટીવી આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બસ ચાલકની ધરપકડ કરી હતી. જે તે સમયે થયેલી અરજી, અકસ્માતની ફરિયાદ સહિતની તમામ તપાસના દસ્તાવેજી પુરાવાઓ, કાગળો, નવી સ્વતંત્ર તપાસની ટીમ હસ્તગત કરીને નવેસરથી તપાસ આગળ ધપાવશે.

સરકાર તથા ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ મુદ્દાઓ રજૂ કરાયા હતા

ફરિયાદી પક્ષે એડવોકેટે એવું જણાવ્યું હતું કે, હત્યા કરાયા બાદ અકસ્માતમાં મોતની સ્ટોરી ઉભી કરાઈ હોઈ શકે. અકસ્માત સ્થળ નજીક તેમજ રસ્તામાં કેટલાક શંકાસ્પદ વાહન, વ્યક્તિ હતા. અકસ્માતની ઘટના બતાવાઈ પરંતુ પોસ્ટમોર્ટમમાં શરીરના ભાગે ઈજાના 42 નિશાન મળ્યા છે. કોર્ટ દ્વારા પણ જે વાહનમાં અકસ્માત થયો હતો તેનો એફએસએલ રિપોર્ટ ક્યાં તેવો સવાલ સરકાર પક્ષને કરાયો હતો. સરકાર પક્ષે વકીલે પણ પોલીસ તપાસમાં કપડાં આપનાર વ્યક્તિનું નિવેદન લેવાયું, બસ ડ્રાઈવરે અકસ્માત બાદ ડ્રાઈવરે એક વ્યક્તિને ફોન પણ કર્યો હતો. વોઈસ સ્પેકટ્રોગ્રાફી રિપોર્ટ માટે એફએસએલમાં મોકલાયો હતો. સહિતના મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી. બન્ને પક્ષેની રજૂઆત, દલીલો અંતે એસપી ડેલુને તપાસનો હુકમ કરાયો હતો.

Share Article

Other Articles

Previous

ફરી પહેલગામ જેવા હુમલાના કાવતરાની શંકા! સૈન્ય કમાન્ડર મનોજ કુમારે કહ્યું, હવે ભારતનો હુમલો અત્યંત ઘાતક હશે

Next

ભાજપનો દરેક કાર્યકર્તા મારું ઘરેણું! દિગ્ગજ નેતાઓ,રાજકોટના લોકોના, ઉદ્યોગોના, ધરોહરના ભરપેટ વખાણ કરી ફુલડે વધાવતાં પ્રદેશ પ્રમુખ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
1 દિવસ પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
2 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
2 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

ભરૂચમાં આપઘાતના 2 બનાવ : ગળેફાંસો ખાઈ વિદ્યાર્થી અને હેડ કોન્સ્ટેબલે જીવન ટુંકાવ્યું
ગુજરાત
1 વર્ષ પહેલા
જૈન સાધુના બોન્ડ પત્ની અને માતાના નામે ટ્રાન્સફર ન કરી શકાય: હાઇકોર્ટ
ટ્રેન્ડિંગ
8 મહિના પહેલા
રાજકોટમાં એપ્રિલમાં 13041 દસ્તાવેજની નોંધણી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
ગુજરાતીઓને ઠગ કહેવા અંગેના કેસમાં રાજદના નેતા તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, મામલો રદ કરાયો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર