હરિયાણામાં ગમખ્વાર અકસ્માત : કાર કેનાલમાં ખાબકતાં એક જ પરિવારના 7ના નિપજ્યાં મોત
હરિયાણાથી શનિવારે એક દુઃખદ સમાચાર આવ્યા હતા. અહીં એક કાર નહેરમાં ખાબકતાં 7 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. કેથલ જિલ્લામાં દશેરાના દિવસે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. નહેરમાં કાર ખાબકવાને લીધે કારમાં હાજર મહિલાઓ અને બાળકોના મૃત્યુ થયા હતા.
સ્થાનિક લોકોને અકસ્માતની જાણ થઈ અને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે કારમાં સવાર બધાના મૃત્યુ થઈ ગયા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકો ઝઝ્ઝરના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યાનુસાર, કાર ચાલકની સ્પીડ વધુ હતી અને જેના લીધે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવી દીધો હતો અને કાર નહેરમાં ખાબકી હતી. લોકોએ દોરડા અને અન્ય સાધનો વડે બચાવ કામગીરી શરૂ કરી હતી. કાર નહેરમાંથી બહાર આવી ત્યારે તેમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. કારમાં એક જ પરિવારના 7 લોકો સામેલ હતા.
કેથલ પોલીસે કહ્યું હતું કે ‘પીડિત પરિવારના લોકો મેળામાં જવા નીકળ્યા હતા. ત્યારે કાર મુંદરી નજીક નહેરમાં ખાબકી ગઇ હતી. મૃતકોની ઓળખ કાજલ, ફીઝા, રિયા, વંદના, પરમજીત, તિજો અને ચમેલી તરીકે થઇ હતી. આ તમામ લોકો ડીંગ ગામના રહેવાશી હતા.