ગૌમૂત્ર પીવડાવીને જ નવરાત્રી પંડાલમાં એન્ટ્રી આપવી જોઈએ !! બીજેપીના નેતાનું વિવાદાસ્પદ સૂચન, વિડીયો વાયરલ
ગરબા ઈવેન્ટ્સમાં બિન-હિન્દુઓના પ્રવેશને લઈને વારંવાર વિવાદો ઉભા થાય છે. હવે ઈન્દોરમાં ગરબા ઈવેન્ટ્સમાં બિન-હિંદુઓના પ્રવેશને લઈને એક વિવાદાસ્પદ સૂચન સામે આવ્યું છે. બીજેપી જિલ્લા અધ્યક્ષ ચિન્ટુ વર્માએ નવરાત્રી ઉત્સવના આયોજકોને કહ્યું કે તેઓ ગરબા પંડાલમાં જતા પહેલા લોકોને “ગૌમૂત્ર” પિવડાવવું જોઈએ. આખરે ચિન્ટુએ આવું કેમ કહ્યું? બીજેપી નેતાએ તેની પાછળનું કારણ પણ આપ્યું છે.
ગૌમૂત્ર પીવડાવવાનું કારણ શું છે ?
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગરબા પંડાલમાં હજારો લોકો ભાગ લે છે. જેમાં અન્ય ધર્મના લોકો પણ ભાગ લે છે. ભીડનો ફાયદો ઉઠાવીને આ લોકો છોકરીઓની છેડતી કરે છે. આ ઘટનાઓને અંકુશમાં લેવા માટે ભાજપના નેતા ચિન્ટુ વર્માએ ગૌમૂત્ર પીવડાવવાનું સૂચન કર્યું છે. ઈન્દોર જિલ્લા અધ્યક્ષ ચિન્ટુ વર્માનું નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
Garba entry pass : a sip of Gaumutra. ☺️
— Cow Momma (@Cow__Momma) October 1, 2024
Chintu Verma. BJP, Indore district president. pic.twitter.com/kBd07WAbRO
ગૌમૂત્રને બદલે આધાર કાર્ડ કેમ નહીં ?
ચિન્ટુ વર્માએ કહ્યું કે ગરબામાં પ્રવેશતી વખતે લોકોને ગૌમૂત્ર પીવડાવવું જોઈએ. હિન્દુ ધર્મના લોકોને ગૌમૂત્ર પીવામાં કોઈ વાંધો નહીં હોય, પરંતુ જો તેઓ અન્ય ધર્મના લોકો હોય તો તેઓ ક્યારેય ગૌમૂત્ર પીશે નહીં. આવી સ્થિતિમાં જ્યારે ચિન્ટુ વર્માને પૂછવામાં આવ્યું કે શું ગૌમૂત્ર જ એકમાત્ર રસ્તો છે તો લોકોના આધાર કાર્ડ પણ ચેક કરી શકાય છે. તેના પર ચિન્ટુ વર્માએ જવાબ આપ્યો કે આધાર કાર્ડ સરળતાથી એડિટ કરી શકાય છે. તેથી લોકો ખોટું આધાર કાર્ડ બતાવીને પણ ગરબામાં પ્રવેશી શકે છે.
છત્તીસગઢમાં પણ માંગ ઉઠી
ચિન્ટુ વર્માએ તો ત્યાં સુધી કહ્યું કે વિધર્મીઓ પણ ગરબામાં ભાગ લેવા માટે તિલક લગાવે છે. આવી સ્થિતિમાં તેમની ઓળખ કરવી શક્ય નથી. તેથી, ગૌમૂત્ર એ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા અન્ય ધર્મના લોકોને ગરબામાં પ્રવેશતા અટકાવી શકાય છે. ગઈકાલે છત્તીસગઢમાં પણ આવી જ માંગ ઉઠી હતી. વિશ્વ હિંદુ પરિષદ સહિત અનેક સંગઠનોએ ગરબામાં આવતા લોકોને ગંગાનું પાણી આપવાની ઓફર કરી હતી.