શું તમે જાણો છો CAA વિશે ? વાંચો સંપૂર્ણ વિગતો
નાગરિકતા સંશોધન કાયદો (CAA) આજ રાતથી દેશમાં લાગુ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે CAA નિયમોનું નોટિફિકેશન જારી કરી શકે છે. આ કાયદો 2019માં પસાર થયો હતો અને દેશભરમાં તેની સામે ભારે વિરોધ થયો હતો. જણાવી દઈએ કે, ગયા મહિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુષ્ટિ કરી હતી કે CAA લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે.
તમે જાણો છો શું છે CAA ?
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના અમલીકરણ સાથે, પડોશી દેશોના લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવી સરળ બનશે. CAA હેઠળ, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા અત્યાચારી બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયો) ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. કાયદા હેઠળ, ફક્ત આ ધર્મના લોકો જે 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયા છે, તેમને નાગરિકતા આપવામાં આવશે. વળી કાયદા અનુસાર, CAA હેઠળ ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત CAA હેઠળ લાભ મળશે. CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો અને તેને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. જોકે, કાયદો હજુ અમલમાં આવ્યો નથી અને તેના અમલ માટે નિયમો જરૂરી છે. સંસદ દ્વારા CAA પસાર થયા પછી, દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે દેખાવો થયા હતા. દેખાવો દરમિયાન અને પોલીસ કાર્યવાહીમાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.