Dhurandhar 2: રીલીઝ પહેલા જ ધુરંધર 2 જોરદાર ક્રેઝ: મુંબઇમાં 24×7 શો, એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ
અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિગમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.ટિકિટની ભારે માંગને ધ્યાનમાં રાખીને, દેશના ઘણા શહેરોમાં 24×7 સ્ક્રીનીંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 12.64 લાખથી વધુ ટિકિટો પહેલાથી જ બુક થઈ ગઈ છે.
મુંબઈના અનેક સિનેમાઘરો હવે ફિલ્મની સ્ક્રીનિગ માટે લગભગ 24 કલાક ખુલ્લા રહેશે. ખાસ કરીને કેટલીક જગ્યાએ શો રાત્રે 1:55 વાગ્યાથી શરૂ થશે, જે ફિલ્મની ભારે માંગ દર્શાવે છે.નિષ્ણાતો મુજબ, ફિલ્મના એક્શન અને મોટા બજેટને કારણે દર્શકોની અપેક્ષા ખૂબ ઊંચી છે. તેથી થિયેટર માલિકો વધુમાં વધુ શો ગોઠવી રહ્યા છે.
‘મરાઠા મંદિર’ ખાતે પહેલીવાર DDLJ શોટાઇમ બદલાયો
મુંબઈના પ્રખ્યાત ‘મરાઠા મંદિર’એ ફિલ્મ ‘ધૂરંધર 2’ ને સમાયોજિત કરવા માટે એક ઐતિહાસિક ફેરફાર અમલમાં મૂક્યો છે. ફિલ્મના લગભગ ચાર કલાકના રનટાઇમને સમાયોજિત કરવા માટે, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ – જે છેલ્લા 31 વર્ષથી સતત 11:30 AM સ્લોટમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે – હવે 18 માર્ચથી સવારે 10:00 વાગ્યે પ્રદર્શિત થશે. પરિણામે, સિનેમામાં બાકીના ત્રણ સંપૂર્ણ શો ‘ધૂરંધર 2’ ને ફાળવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જ્યારે ‘એનિમલ’ અને ‘પુષ્પા 2’ ની રિલીઝ દરમિયાન અગાઉ સમાન ફેરફારો કરવામાં આવ્યા હતા, ત્યારે DDLJ ના શોટાઇમમાં તે પ્રસંગોએ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
