બે કલાક વરસાદમાં તો દિલ્હી લકવાગ્રસ્ત થઇ જાય છે : ચીફ જસ્ટિસે કરી તીખી ટિપ્પણી, NHAIની ઝાટકણી કાઢી
દિલ્હીમાં વરસાદ પછી ઉભી થતી પરિસ્થતિ અંગે તીખી ટિપ્પણી કરતા ચીફ જસ્ટીસ બી.આર. ગવઈએ કહ્યું હતું કે, દીલ્હીમાં બે કલાક વરસાદ પડે પછી આખા શહેરને લકવા થઈ જાય છે. કેરળ હાઇકોર્ટનાં એક આદેશ સામે નેશનલ હાઈ વે ઓથોરિટીએ અપીલ દાખલ કરી હતી અને તેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે આ ટિપ્પણી કરી હતી. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે ટ્રાફિકની સમસ્યાને પણ ગંભીર ગણાવી હતી. કેરળનાં એક હાઈ વે ઉપર 12 કલાકના ટ્રાફિક જામ અંગે તેમણે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કોઈ વ્યક્તિને રોડના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં 12 કલાક લાગી જાય તો તે ટોલ ટેક્સ શા માટે આપે ?

સુપ્રીમ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની અરજી મુદ્દે કેરળ હાઈકોર્ટનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સોમવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે ગત સપ્તાહે આ હાઈવે 12 કલાકથી વધુ સમય સુધી જામ ટ્રાફિકનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસ ચંદ્રને NHAIને કહ્યું કે, ‘તમે ગઈકાલનું અખબાર જોયું હશે. 12 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો.’
આ પણ વાંચો : CP Radhakrishnan: સીપી રાધાકૃષ્ણને PM મોદી સાથે કરી મુલાકાત, 21 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે
ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ‘એ એક્ટ ઓફ ગૉડ હતું. એક લૉરી પડી ગઈ હતી.’ આ અંગે જસ્ટિસ ચંદ્રને કહ્યું કે, ‘લૉરી આપમેળે પડી નથી. તે એક ખાડામાં પડી ગઈ.’ જસ્ટિસના આ અંગે સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, ‘NHAIએ આવા સ્થળો પર વૈકલ્પિક રસ્તા તરીકે સર્વિસ રોડનું નિર્માણ કર્યું છે, જ્યાં અંડરપાસનું બાંધકામ થઈ રહ્યું છે. વરસાદના કારણે બાંધકામ કાર્ય પ્રભાવિત થયું છે.’
