વીતેલા યુગની જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી વહીદા રહેમાન ભારતીય સિનેમાનો સૌથી મોટો એવોર્ડ ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા જઈ રહ્યો છે. વહીદા રહેમાને 60-70ના દાયકામાં સિનેમા પર રાજ કર્યું. તેના શાનદાર અભિનય, નૃત્ય-અભિનય અને સુંદરતાના લાખો ચાહકો છે. વહીદા રહેમાન અને દેવ આનંદની જોડી ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. ‘સીઆઈડી’થી લઈને ‘ગાઈડ’ સુધી બંનેએ સાથે ઘણી શાનદાર ફિલ્મો કરી છે.
વહીદા રહેમાનનો જન્મ 1938માં ચેંગાસપટ્ટુ, તમિલનાડુમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીત અને નૃત્યનો શોખ હતો. વહીદા બાળપણ ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેણે ફિલ્મોમાં કામ કરવું પડ્યું. વહિદાએ હિન્દી સિવાય તમિલ, મલયાલમ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વહીદાએ 1956માં તમિલ ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ગુરુ દત્ત સાહેબની ફિલ્મ ‘CID’ થી પોતાની હિન્દી ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ગાઈડ’, ‘નીલકમલ’, ‘રામ ઔર શ્યામ’, ‘તીસરી કસમ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. અભિનેત્રી ઘણી સારી ડાન્સર પણ છે.
વહીદા રહેમાનના પતિ કમલજીત પણ તેમની પત્નીની જેમ અભિનયની દુનિયા સાથે જોડાયેલા હતા. પોતાના કરિયરમાં તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. કમલજીતને ‘સન ઓફ ઈન્ડિયા’ અને ‘શગુન’થી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી હતી. તેના પતિનું 21 નવેમ્બર 2000ના રોજ અવસાન થયું હતું. આ પછી વહીદા રહેમાન મુંબઈ પાછી આવી અને આજે બાંદ્રામાં પોતાના બંગલામાં રહે છે.
વહીદા રહેમાનના પતિ કમલજીત પણ તેમની પત્નીની જેમ અભિનયની દુનિયા સાથે જોડાયેલા હતા. પોતાના કરિયરમાં તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. કમલજીતને ‘સન ઓફ ઈન્ડિયા’ અને ‘શગુન’થી ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મળી હતી. તેના પતિનું 21 નવેમ્બર 2000ના રોજ અવસાન થયું હતું. આ પછી વહીદા રહેમાન મુંબઈ પાછી આવી અને આજે બાંદ્રામાં પોતાના બંગલામાં રહે છે.