આતંકવાદી પ્રવૃત્તિ પર લગામ , શું કર્યું એનઆઇએની ટીમે ? વાંચો
- ક્યાં દરોડા પાડયા ?
- શું મળ્યું દરોડામાં ?
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરીને દેશના ચાર રાજ્યોમાં 19 સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા। કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહોંચીને દરોડાની કાર્યવાહી મોટાપાયે કરાઇ હતી.આતંકવાદ વિરોધી એજન્સીએ એક્શન લેતા ચાર રાજ્યોમાં દરોડા પાડતા કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથનો પર્દાફાશ થયો છે. અનેક વાંધાજનક દસ્તાવેજો પણ મળ્યા છે.
તપાસ એજન્સીએ આઈએસઆઈએસ નેટવર્ક કેસમાં આ દરોડા પાડ્યા હતા. દ્વારા કુલ 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા જેમાં કર્ણાટકના 11, ઝારખંડના ચાર, મહારાષ્ટ્રના ત્રણ અને દિલ્હીમાં એક ઠેકાણે તપાસ થઈ હતી. આ પહેલા ગુપ્તચરોએ પણ બાતમી આપી હતી.
અત્યાર સુધીમાં દરોડા દરમિયાન એજન્સીને બેનામી રકમ, હથિયાર, સંવેદનસીલ દસ્તાવેજો સહિત અનેક ડિજિટલ ઉપકરણ મળ્યા છે જેને જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ મહારાષ્ટ્રના 40થી વધુ સ્થળોએ તેમજ બેંગ્લોરમાં દરોડા પાડ્યા હતા જેમાં 15 કરતા પણ વધારે લોકોની ધરપકડ કરી હતી.