ભાજપના કયા 2 સાંસદો સામે સંકટ ઊભું થયું ? શુ થયું ?
ભાજપના બે સાંસદોના સાંસદપદ પર સંકટ ઊભું થયું છે. આ બન્ને દિગ્ગજ સાંસદો વિરુદ્ધ સંબંધિત અરજી હાઈકોર્ટમાં કરાઈ છે. હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા સીટ અને મધ્યપ્રદેશમાં ઇન્દોર લોકસભા સીટને લઈને બે અરજીઓ દાખલ કરાઈ છે. બન્ને સીટ ઉપરની ચૂંટણીને હાઈકોર્ટમાં પડકાર ફેંકાયો છે.
મંડી લોકસભા સીટ ઉપર સાંસદ તથા બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ નેતા કંગના રણૌતે જીત મેળવી હતી. જો કે મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપ નેતા શંકર લાલવાણી સાંસદ તરીકે ચૂંટાયા હતા. બન્ને કેસમાં અરજદારોએ ચૂંટણી પરિણામોને રદ કરવાની માગ કરી છે. લાલવાણી સામે એક શખ્સે ઈન્દોર બેન્ચમાં અરજી કરી છે.
મંડીથી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા રામ નેગીએ તેમનું નોમિનેશન રદ કરવા સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમનો આરોપ છે કે, હું અપક્ષ તરીકે ચૂંટણી લડવા માગતો હતો અને નોમિનેશન પણ ફાઈલ કર્યું હતું પણ નક્કી સમયે એનઓસી ન મળતાં રિટર્નિંગ અધિકારીએ મારું નોમિનેશન રદ કરી દીધું હતું.
ઈન્દોર બેઠક પર ભાજપે આઠ વખત લોકસભામાં ચૂંટણી જીતી છે. આ વખતે સાંસદ તરીકે ચૂંટાયેલા શંકર લાલવાણી અહીં નગર નિગમમાં સભાપતિ જેવા મહત્ત્વપૂર્ણ પદ પર કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તેઓ ત્રણ વખત કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.