ક્રિકેટરોની દેશભક્તિ આખરે જાગી ! ભારત-પાકિસ્તાન મેચ રદ્દ, આ 5 ખેલાડીઓએ કર્યો મેચનો બહિષ્કાર
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) માં યોજાનારી ભારત અને પાકિસ્તાન લિજેન્ડ્સ વચ્ચેની મેચ આખરે રદ કરવામાં આવી હતી. આ મેચ પર ચાલી રહેલા વિવાદ અને નારાજગી વચ્ચે, આયોજકોએ એક સત્તાવાર નિવેદન જારી કરીને મેચ રદ કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : સુપરસ્ટાર વગરની ફિલ્મ સૈયારાનો દબદબો: ‘રેઇડ 2’, ‘સ્કાયફોર્સ’ને પાછળ છોડી, મોટા કલાકારોને ધૂળ ચટાવી અનેક રેકોર્ડ તોડ્યા
આ પહેલા ઘણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ, શિખર ધવન, સુરેશ રૈના અને યુસુફ પઠાણે આ મેચમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. શિખર ધવને આ અંગે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી અને લખ્યું – ‘મારો દેશ મારા માટે બધું જ છે અને દેશથી મોટું કંઈ નથી.’

WCLએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ ટુર્નામેન્ટમાં અમે હંમેશા ક્રિકેટને પ્રેમ કર્યો છે અને અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દર્શકોને કેટલીક સારી અને ખુશીની ક્ષણો આપવાનો છે. જ્યારે અમને ખબર પડી કે આ વર્ષે પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવી રહી છે, અને તાજેતરમાં બંને દેશો વચ્ચે ભારત-પાકિસ્તાન વોલીબોલ મેચ સહિત કેટલીક અન્ય રમતોમાં મેચો રમાઈ છે, ત્યારે અમે ડબ્લ્યુસીએલમાં ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરીને લોકો માટે કેટલીક યાદગાર અને ખુશીની ક્ષણો બનાવવાનું વિચાર્યું હતું.
આ પણ વાંચો : 2006 Mumbai Train Blasts : મુંબઈમાં લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ જાહેર, પ્રેશરકૂકરમાં કર્યા હતા બોમ્બ સેટ
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘કદાચ આ પ્રક્રિયામાં આપણે ઘણા લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે અને અજાણતાં ઘણી સંવેદનશીલતાઓને ઉશ્કેરી છે. તેનાથી પણ વધુ, આપણે તે ભારતીય ક્રિકેટ દિગ્ગજોને અસ્વસ્થતાભરી સ્થિતિમાં મૂકી દીધા છે જેમણે દેશ માટે ઘણું ગૌરવ લાવ્યું છે. આ સાથે, અમે તે બ્રાન્ડ્સને પણ અસર કરી જે ફક્ત રમત પ્રત્યેના પ્રેમને કારણે અમને ટેકો આપી રહ્યા હતા. તેથી જ અમે ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.’