Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હાર માટે કોંગ્રેસનું નેતૃત્વ જવાબદાર છે, ઇવીએમ નહીં

Thu, December 11 2025

નેહરુ વડાપ્રધાન બન્યા હતા તે દેશની પ્રથમ વોટ ચોરી હતી…

લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચાનો ગૃહમંત્રી અમિત શાહે જડબાતોડ જવાબ આપ્યોઃ 2004 થી 2009 સુધી કોંગ્રેસના રાજમાં જ EVMથી ચૂંટણી થઇ, એ લોકો જીતે તો ઇવીએમ અને ઇસી સારા, હારે તો ખરાબઃ દુનિયામાં દેશના લોકતંત્રની છબી બગાડવાનો પ્રયાસ


લોકસભામાં બે દિવસ સુધી ચૂંટણી સુધારા પરની ચર્ચા થઇ હતી અને વિપક્ષ દ્વારા અને મુખ્યત્વે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી અને ચૂંટણી પંચ સામે આરોપો મૂકવામાં આવ્યા હતા. બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંજે આ ચર્ચાનો આક્રમક અભ્યાસપૂર્ણ અને નક્કર જવાબ આપીને વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી. અમિત શાહના ચોટદાર જવાબો સાંભળીને કોંગ્રેસ સહિતના વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.


અમિત શાહે ધારદાર કથનો દ્વારા એમ કહ્યું હતું કે, દેશમાં ચૂંટણીઓમાં કોંગ્રેસની હારનું કારણ તેનું નેતૃત્વ છે, ઇવીએમ નથી. જ્યાં સુધી વોટ ચોરીની વાત છે તો દાખલા સાથે એમણે કહ્યું કે દેશમાં પ્રથમ વોટ ચોરીથી જવાહરલાલ નેહરુ વડાપ્રધાન બન્યા હતા. આઝાદી બાદ કોને પીએમ બનાવવા? તેના માટે મત લેવાયા હતા અને સરદાર પટેલની તરફેણમાં 28 મત જ્યારે નેહરુ માટે ફક્ત બે મત પડ્યા હતા છતાં નેહરુ વડાપ્રધાન બની ગયા હતા. આ પ્રથમ વોટ ચોરી હતી.


એમણે કહ્યું કે બીજી વોટ ચોરી ઇન્દિરા ગાંધીના સમયમાં થઇ હતી. રાયબરેલીમાં ચૂંટાયા ત્યારબાદ અલ્હાબાદ હાઇકોર્ટે ચૂંટણી ઉચિત રીતે થઇ નથી તેવો ચુકાદો આપ્યો હતો. ત્યારે સંસદમાં ઇન્દિરા ગાંધી એવો કાયદો લઇને આવ્યા કે પીએમ સામે કોઇ કેસ જ દાખલ થઇ શકે નહીં. ત્રીજી વોટ ચોરી તરીકે અમિત શાહે તાજેતરનો જ દાખલો આપ્યો અને કહ્યું કે, સોનિયા ગાંધીને કોર્ટે એક નોટિસ આપી છે. કારણ કે એમના પર એવો આરોપ છે કે તેઓ દેશના નાગરિક બન્યા તે પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું હતું.


અમિત શાહે કોંગ્રેસના અને ખાસ કરીને રાહુલ ગાંધીના તમામ આરોપોનું જોરદાર ખંડન કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં જ 2004માં અને 2009માં સૌ પ્રથમ દેશમાં ઇવીએમથી ચૂંટણી થઇ હતી. એ લોકો જીતી ગયા તો ઇવીએમ સારા હતા. 2014થી વડાપ્રધાન મોદી જીતી રહ્યા છે તો હવે ઇવીએમ ખરાબ થઇ ગયા છે. વોટ ચોરીનો રાહુલનો આરોપ પાયાવિહોણો છે અને તેમાં કોઇ દમ નથી. કોંગે્રસ ચૂંટણીમાં જીતે તો મતદારયાદી સારી હોય છે અને હારે તો ખરાબ બની જાય છે. આ લોકો વોટ ચોરીનો નેરેટિવ ચલાવીને દુનિયામાં ભારતના લોકતંત્રની છબી બગાડી રહ્યા છે, અમારી સરકારની નહીં.


એમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં પણ એસઆઇઆરની પ્રક્રિયા થઇ હતી. 1952માં, 1961માં આ પ્રક્રિયા થઇ હતી. વિપક્ષનો મુદ્દો એવો છે કે એ લોકો દેશમાં આવેલા ઘુસણખોરોને મતદાર યાદીમાં રાખવા માંગે છે અને અમે કોઇપણ ઘુસણખોરને સ્વીકારતા નથી અને બધાને દેશની બહાર કરાશે અને મતદાર યાદીમાંથી એમના નામ કમી કરાશે.


રાહુલ કહે તે રીતે સંસદ નહીં ચાલે, મારા ભાષણનો ક્રમ હું જ નક્કી કરીશઃ અમિત શાહ અને રાહુલ વચ્ચે જોરદાર ટપાટપી
લોકસભામાં અમિત શાહ દાખલા સાથે એક પછી એક રાહુલ ગાંધી અને વિપક્ષના દરેક આરોપ અને આક્ષેપનો જવાબ આપી રહ્યા હતા અને હરિયાણામાં કોઇ બોગસ મતદાર છે જ નહીં અને આ બધી ખોટી વાતો છે તેમ શાહે કહેતાં જ રાહુલ ગાંધી ઊભા થઇને વચમાં બોલવા લાગ્યા હતા અને ત્યારે બન્ને વચ્ચે ગરમાગરમી થઇ ગઇ હતી. અમિત શાહે એમ કહી દીધું હતું કે, રાહુલ કહે તેમ સંસદ નહીં ચાલે, મારા ભાષણનો ક્રમ હું જ નક્કી કરીશ. આ તકે રાહુલે ફરી એમ કહ્યું હતું કે, ગૃહમંત્રીની પ્રતિક્રિયા ગભરાટવાળી છે અને તેઓ ડરી ગયા છે.

મોદી EVM નહીં, લોકોના દિલ હેક કરે છે…ઃ કંગના
લોકસભામાં સાંસદ કંગના રણૌતે ચૂંટણી સુધારાઓ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે િંચતા વ્યક્ત કરી કહ્યું કે, સંસદમાં આ વર્ષે યોજાયેલા તમામ સત્રો વિપક્ષના હંગામા વચ્ચે વિત્યા છે, તેથી નવા સાંસદ તરીકેનો મારો આ અનુભવ િંચતાજનક છે. તેમણે વિપક્ષ દ્વારા વિવાદો, સૂત્રોચ્ચાર અને ગૃહની કાર્યવાહી અટકાવવાની રીતોને લોકશાહી વિરુદ્ધની ગણાવી છે. વિપક્ષ દ્વારા ઈવીએમ હેક કરવાના આક્ષેપોનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી ઈવીએમ હેક કરતા નથી, પરંતુ તેઓ લોકોના દિલ હેક કરે છે.કંગનાએ કહ્યું કે, રાહુલ ગાંધી બોલવા ઊભા થયા હતા, ત્યારે આશા હતી કે, તેઓ કોઈ મોટો ખુલાસો કરશે, પરંતુ તેઓએ તથ્યો અને ગંભીરતા વગર ભાષણ કર્યું હતું.

રાજીવ ગાંધી જ ઇવીએમ દેશમાં લઇ આવ્યા
અમિત શાહે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા ઇવીએમ સામે વારંવાર જે આરોપો અને વાંધા લેવામાં આવે છે તેનો મક્કમતાથી જવાબ આપીને ભૂતકાળ તરફ નજર કરવાનું કહ્યું હતું અને એમણે એ વાતની યાદ અપાવી હતી કે રાજીવ ગાંધી જ દેશમાં ઇવીએમ લઇને આવ્યા હતા અને તેના દ્વારા જ દેશમાં ચૂંટણીઓ થઇ હતી. હવે અને ઇવીએમથી ચૂંટણી કરી રહ્યા છીએ તો એમને પેટમાં દુઃખે છે.

“ઘુસણખોરોને યાદીમાં રાખવા માંગે છે” તેમ કહેતાં જ વિપક્ષનો વોકઆઉટ
લોકસભામાં ચર્ચાનો આક્રમક જવાબ આપતી વખતે અમિત શાહે એમ કહ્યું હતું કે, એસઆઇઆરની પ્રક્રિયા સામે કોંગ્રેસ સહિતના વિપક્ષને વાંધો એટલા માટે પડી રહ્યો છે કે એ લોકો ઘુસણખોરોને મતદાર યાદીમાં સલામત રાખવા માંગે છે. શાહના આ વિધાનથી ગૃહમાં વિપક્ષ દ્વારા ભારે ગોકીરો અને હંગામો મચાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ સહિતના વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.

Share Article

Other Articles

Previous

મૈત્રીની મહેફિલથી જન્મ્યું ઉમાંશ આરોગ્ય પોર્ટલ સારવાર પણ અટકે નહીં અને દાતા પણ છેતરાય નહીં

Next

રાજકોટમાં રોજ ચાર લાખ લોકોને મળશે ચોખ્ખું પાણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
10 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
11 કલાક પહેલા
LPGનો મોટો જથ્થો આવી રહ્યો છે ભારત: બે જહાજ શિવાલિક અને નંદા દેવીએ હોર્મુઝનો રસ્તો પાર કર્યો
12 કલાક પહેલા
ગુજરાતમાં કુપોષણ સામેની જંગમાં ઐતિહાસિક સુધારો: રિયલ ટાઈમ મોનીટરીંગથી 1 વર્ષમાં કુપોષણના દરમાં 9.1 ટકાનો ઘટાડો
12 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

બિહાર ટ્રેન દુર્ઘટના કાવતરાંનું પરિણામ? અનેક જગ્યાએ પાટા તૂટેલાં મળ્યાં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકાની સહાયથી લદ્દાખ સીમા પર હવે ચીન ધ્રૂજશે : ભારતીય સેનાને મળશે સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
છત્તીસગઢમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો : ત્રણ કોચના કાચ તોડયા, 5 બદમાશોની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ રેલવેના નવલખી ગુડ્સ શેડને આધુનિક ગોડાઉન તરીકે વિકસાવવામાં આવશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર