ભાજપમાં જવાની અટકળો પર પૂર્ણવિરામ : શશી થરૂરે કર્યું, ‘હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં જ છું’, લગ્ન કરવા બાબતે કહી આ ખાસ વાત
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે ભવિષ્યના પ્લાનને લઈને ચાથતી અટકળો પર વિરામ લગાવી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ‘હું ભાજપમાં સામેલ થવા જઈ રહ્યો નથી.’ ખાસ વાત એ છે કે થરુરે તાજેતરમાં જ કહી દીધું હતું કે જો કોંગ્રેસને મારી જરૂર નથી તો મારી પાસે ઘણા અન્ય વિકલ્પ છે. આ સાથે જ તેમની કોંગ્રેસ છોડવાની અટકળો પણ ઝડપી થઈ ગઈ હતી, જેનું અંતે થરુરે ખંડન કર્યું હતું.
સાથોસાથ પોતાની અંગત લાઈફ અંગે પણ અનેક વાતો થઈ રહી હતી અને બીજા લગ્ન કરવાના છે તેવી અફવા ઊડી હતી અને આ વિષે પણ એમણે ચોખવટ કરીને કહી દીધું હતું કે આવી મારી કોઈ યોજના નથી. એમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી હું સિંગલ જ છું.
જો કે હાલ તુરત તેમણે ભાજપમાં સામેલ થવાથી ઈનકાર કર્યો છે અને તેનું કારણ વિચારધારામાં અંતર હોવાનું ગણાવ્યું છે. તેમણે કહ્યું, ‘… નહીં, દરેક પાર્ટીની પોતાની માન્યતાઓ અને ઈતિહાસ છે. જો તમે તેની માન્યતાઓને માની શકતાં નથી તો કોઈ અન્ય પાર્ટીમાં જવું ખોટું છે. મને નથી લાગતું કે આ યોગ્ય છે, પરંતુ સ્વતંત્ર હોવાનો વિકલ્પ હંમેશા ખુલ્લો છે પરંતુ આજના રાજકીય માહોલમાં મને લાગે છે કે તમામે પાર્ટીની, એક સંગઠનની, એક વાહનની જરૂર છે જે તેમના વિચારોને આગળ લઈ જાય.
રાજકારણમાં એક પાર્ટી માટે જરૂરી છે કે તે અમુક વિચાર અને સિદ્ધાંત રાખે. નહીંતર વિચારધારા કે ચૂંટણી ઢંઢેરાનો કોઈ ફાયદો નથી. આ સાથે જ પાર્ટી એક વાહન હોય છે. જેમાં સંગઠનાત્મક શક્તિ હોવી જરૂરી છે, જેથી મૂલ્યોને આગળ લઈ જઈ શકાય અને તે સિદ્ધાંતોની સાથે શક્તિ મેળવી શકાય.’