અંતે યુદ્ધ વિરામ : ટ્રમ્પે કરી ઘોષણા – ઇઝરાયેલ અને ઈરાન સંમત, 12 દિવસના વિનાશક યુદ્ધનો અંત
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે અંતે યુદ્ધ વિરામ થયો છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઉપર આ ઘોષણા કરી હતી.એ ઘોષણા બાદ પણ યુદ્ધ વિરામ અંગે પ્રવર્તતી અનિશ્ચિતતાઓ બાદ મોડેથી ઈરાન અને ઇઝરાયેલ એ પણ યુદ્ધ વિરામ માટે સતાવાર સંમતિ જાહેર કરી હતી.

ટ્રમ્પે આ યુદ્ધને ” બાર દિવસનું યુદ્ધ ” ગણાવ્યું હતું અને યુદ્ધ વિરામ માટે સહમત થવા બદલ બંને દેશોને અભિનંદન પાઠવ્યા હતા. આ યુદ્ધ વિરામને કારણે ઈરાન ઈઝરાયેલ અને મધ્ય પૂર્વ બધા શાંતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ ધપશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની સિદ્ધિ એન્ટ્રી બાદ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગતા હતા ત્યારે જ યુદ્ધ વિરામ થતાં સમગ્ર વિશ્વ એ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે યુદ્ધ વિરામ અંગેની ઘોષણા પહેલા અને તે અમલમાં આવે તે પહેલા ઈરાનના છેલ્લા છ મિસાઈલ ત્રાટકતા ઇઝરાયેલના બીર શેબા શહેરમાં મોટું નુકસાન થયું હતું અને 5 ઇઝરાયેલી નાગરિકોના મૃત્યુ થયા હતા.

ઈરાને કતાર ખાતેના અમેરિકી એર બેસ પર હુમલો કર્યો તેની થોડી કલાકો પછી જ અને ઈરાન અને ઇઝરાયેલ ના એકબીજા પર હુમલા ચાલુ હતા ત્યારે જ અચાનક જ ટ્રમ્પે નાટકીય રીતે યુદ્ધ વિરામની ઘોષણા કરી હતી.
તેમણે કહ્યું કે આ એક એવું યુદ્ધ હતું જે વર્ષો સુધી ચાલી શકતું હતું અને આખા મધ્ય પૂર્વને નષ્ટ કરી શકતું હતું, પરંતુ તે થયું નહીં, અને ક્યારેય થશે નહીં!.ટ્રમ્પે આ યુદ્ધ વિરામનો શ્રેય અમેરિકી વાયુસેનાના B-2 પાઇલટ્સની પ્રતિભા અને હિંમતને આપતા જણાવ્યું કે
એક સંપૂર્ણ પ્રહાર થયો જે બધાને એક સાથે લાવ્યું અને અંતે યુદ્ધ વિરામ સોદો સાકાર થયો.
રામની ઘોષણા બાદ પણ હુબલાઓના સમાચાર વચ્ચે ટ્રમ્પે ફરી એક વખત ટ્વિટ કરી યુદ્ધ વિરામ અમલમાં હોવાનું જણાવ્યું હતું અને કોઈને તેનો ભંગ ન કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લાની 67 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ : કડક સુરક્ષા વચ્ચે મત ગણતરી શરૂ
યુદ્ધનો હેતુ પાર પડ્યો, હવે યુદ્ધ વિરામ : નેતન્યાહુ
ઇઝરાયેલના વડાપ્રધાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે સવારે એક નિવેદનમાં ઇઝરાયેલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામને સ્વીકાર કર્યો હોવાની જાહેરાત કરી હતી. ઇઝરાયેલે ઈરાન સામેના યુદ્ધના તમામ હેતુ પાર પડ્યા હોવાનો દાવો કર્યો હતો અને સાથે જ યુદ્ધ વિરામ ભંગ થશે તો વિનાશક પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.
ઈરાનના વિદેશ મંત્રીએ તેમની સેનાની કામગીરીને બિરદાવી
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ પહેલા તો યુદ્ધ વિરામ થયો હોવાની વાતને ફગાવી દીધી હતી પરંતુ બાદમાં તેમણે સવારે 7:30 વાગ્યાથી યુદ્ધ વિરામ અમલમાં આવી ગયો હોવાની જાહેરાત કરી હતી.તેમણે દેશની રક્ષા માટે લોહીના આખરી બુંદ સુધી લડી લેવા તૈયાર ઈરાનના સશસ્ત્ર દળોનો આભાર માન્યો હતો. યુદ્ધ વિરામના અમલની અંતિમ ક્ષણ સુધી એટલે કે સવારે ચાર વાગ્યા સુધી ઈરાનની લશ્કરી કાર્યવાહી ચાલુ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
બન્ને દેશોએ એક સાથે યુદ્ધ વિરામની વિનંતી કરી: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે બન્ને દેશોએ લગભગ એક જ સમયે યુદ્ધ વિરામ માટે રજુઆત કરી હતી. “ટ્રુથ ” પર તેમણે ટ્વીટ કર્યું,”ઇઝરાયેલ અને ઈરાન લગભગ એકસાથે મારી પાસે આવ્યા, અને કહ્યું, “શાંતિ!” મને ખબર હતી કે સમય હવે છે. વિશ્વ, અને મધ્ય પૂર્વ, વાસ્તવિક વિજેતા છે! બંને રાષ્ટ્રો તેમના ભવિષ્યમાં અપાર પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ જોશે. તેમની પાસે ઘણું બધું મેળવવાનું છે, અને છતાં, જો તેઓ ન્યાય અને સત્યના માર્ગથી ભટકી જશે તો ઘણું બધું ગુમાવવાનું છે.ઇઝરાયેલ અને ઈરાનનું ભવિષ્ય અમર્યાદિત છે, અને મહાન વચનોથી ભરેલું છે. બંનેને આશીર્વાદ આપો!”
યુદ્ધ વિરામ ઘોષણા પૂર્વે ઈરાની મિસાઈલ ત્રાટકતા છ ઇઝરાયેલી નાગરિકોના મોત
ઇઝરાયેલે પણ આખી રાત બોમ્બ વરસાવ્યા
ઇઝરાયેલ અને ઈરાન બંનેએ ટ્રમ્પે કરેલી યુદ્ધ વિરામની ઘોષણામાં સંમતિ દર્શાવી હતી.પરંતુ મંગળવારે સવારે 7:30 વાગ્યે યુદ્ધવિરામ અમલમાં આવે તે પહેલાં છેલ્લી મિનિટ સુધી બંને દેશોએ એકબીજા ઉપર હુમલા ચાલુ રાખ્યા હતા. ઈરાને ઓછામાં ઓછી છ મિસાઈલો ફેંકી હતી.તે હુમલામાં ઇઝરાયેલના બીર શેબા નગરમાં ભારે ખાના ખરાબી થઈ હતી. ઇઝરાયેલના અન્ય નગરોમાં પણ આખી રાત સાયરનો ગાજતા રહ્યા હતા અને લાખો લોકો ભૂગર્ભ સેન્ટરમાં આશરો લેવા મજબૂર બન્યા હતા.
ઈરાને સોમવારે રાત્રે કરેલા મિસાઈલ એટેકમાં બિર શેબા નગરમાં ઓછામાં ઓછી ત્રણ બહુમાળી રહેણાક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. આ ઇમારતોના કાટમાળમાં દબાઈ જવાને કારણે 6 નાગરિકોના મૃત્યુ થયા હતા. બનાવ બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આખો વિસ્તાર ખાલી કરી દેવાયો હતો.
વધુ કેટલાક લોકો કાટમાળમાં દબાવ્યા હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. બીજી તરફ ઇઝરાયેલે પણ સોમવારે રાત્રે પશ્ચિમ અને ઉતાર ઇરાનમાં તબાહી મચાવી હતી. ઇઝરાયેલી સુરક્ષા દળના જણાવ્યા અનુસાર 100 સ્થળે બોમ્બ ફેકવામાં આવ્યા હતા. તેમાં અનેક લશ્કરી મથકો નષ્ટ કરી દેવાયા હતા. ઈરાનના SPND ન્યુક્લિયર પ્રોજેક્ટ અને શસ્ત્રોની ફેક્ટરીનો નાશ કરાયો હતો. ઉત્તર ઈરાનમાં ચાર રહેણા કિમારતોને મોટું નુકસાન થયું હતું અને તેમાં નવ નાગરિકોના મૃત્યુ થયા હતા. ઇઝરાયેલી વાયુસેનાએ ભયંકર હુમલો કરે પશ્ચિમ ઈરાનમાં સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચર્સ નો પણ નાશ કર્યો હતો.