ભાજપનું સ્ટીમ રોલર:ઠાકરે બંધુ ફેઈલ! મહારાષ્ટ્રની જનતાએ રાજકારણના સમીકરણ બદલી નાખ્યા: મહાપાલિકાઓમાં કમળ છવાયુ
મહારાષ્ટ્રની જનતાએ રાજકારણના સમીકરણ જ બદલી નાખ્યા છે. દેશની સૌથી સમૃધ્ધ મુંબઈ મહાપાલિકા સહિત રાજ્યની 29 મહાપાલિકાઓ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ ભાજપ અને શિંદે શિવસેના માટે અભૂતપૂર્વ સફળતા સમાન રહ્યા છે. 30 વર્ષ બાદ મુંબઈમાં ભાજપનો ઐતિહાસિક ઉદય થયો છે અને ઠાકરે બંધુઓની ગેમ ઓવર થઈ ગઈ છે. ભાજપના સ્ટીમ રોલરથી વિપક્ષના ભુક્કા બોલી ગયા છે. કુલ 29 માંથી 26 મહાપાલિકામાં કેસરીયો લહેરાઈ ગયો છે.
મુંબઇમાં પ્રથમ વખત ભાજપના મેયર બનવાના છે. શુક્રવારે સવારે વાગ્યે મહાપાલિકાઓ માટે થયેલા મતદાનની મત ગણતરી શરૂ થઇ ગઈ હતી અને પ્રારંભથી જ ભાજપ ગઠબંધનનો સપાટો દેખાતો હતો. મુંબઈ ઉપરાંત થાણે, નવી મુંબઈ, પુણે, નાગપુર, નાંદેડ, નાસીક સહિતની 26 મહાપાલિકામાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો અને મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. ઠાકરે બંધુઓના મરાઠી માનુસનું કાર્ડ ફેઇલ થઈ ગયું છે અને તેઓ અસ્તિત્વની લડાઈ હારી ગયા છે.
રાજ ઠાકરેની પાર્ટી મનસેની તો એટલી બધી ખરાબ હાલત થઈ છે કે, શહેરોમાં તેનો સ્કોર ઝીરો રહ્યો છે અને મુંબઈમાં તેને માત્ર ૯ બેઠકો મળી છે. મુંબઈમાં ભાજપ ગઠબંધન 115, ઉધ્ધવ ઠાકરે શિવસેના ગઠબંધન 77, કોંગ્રેસ 13 અને એનસીપીને ૪ બેઠકો મળી રહી છે. મુંબઈમાં ભાજપનો 26 વર્ષનો વનવાસ પૂરો થયો છે. શરદ પવાર અને અજીત પવારને જોરદાર ઝટકો લાગી ગયો છે. મહાયુતીથી અલગ થઇને અજીત પવારે ચૂંટણી લડી હતી પણ તેનો આ જુગાર નિષ્ફળ રહ્યો છે.
મુંબઈ ભરમાં સહિત મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ભાજપ અને શિંદે શિવસેનાના અભૂતપૂર્વ વિજયની રાજ્યભરમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી અને મુંબઈ સહિતના શહેરોમાં અબીલ ગુલાલની છોળો ઉડી હતી. એક માત્ર લાતુરમાં કોંગ્રેસને લાભ થયો છે અને તેને 70 બેઠકોમાંથી 40 અને ભાજપને 20 બેઠકો મળી છે. 2017માં અહિં ભાજપને 36 બેઠકો મળી હતી.
ભાજપ અને શિંદે ગઠબંધનને મહત્ત્વની મહાપાલિકાઓ ઉપરાંત કોલ્હાપુર, સોલાપુર, અમરાવતી, અકોલા, ઉલ્લાસનગર, પરભણી, પનવેલ, ભિવંડી, સાંગલી, જલગાંવ, ધુલે અને જાલના મહાપાલિકાઓમાં પણ તેનો જોરદાર વિજય થયો છે.
વડાપ્રધાન મોદી પર મહારાષ્ટ્રની જનતાનો ભરોસોઃ ફડણવીસ
મંબલી અહિત સફમાં મહાપદવિહાઓરી ચૂંટણીમંત્રી હવાને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમ કહ્યું હતું કે, અમારી આ જીત જનતાને અને ભાજપના કાર્યકરોને સમર્પિત કરીએ છીએ. અમારો મુદ્દો વિકાસનો હતો. વિકાસની જીત થઇ છે. વડાપ્રધાન મોદી પર જનતાનો ભરોસો છે. અને તે અમે જાળવી રાખશું. અમને બાલા સાહેબ ઠાકરેના આશિર્વાદ મળ્યા છે. આ મહાવિજય બાદ અમે લોકોના ભરોસા પર ખરા ઉતરશું.
મુંબઇને આંતરરાષ્ટ્રીય નગરી બનાવશું: શિંદે
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે શિવસેનાને મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એમ કહ્યું હતું કે, અમે વિકાસના મુદ્દા પર લયા અને જીતી ગયા. મુંબઇવાસીઓનો ખુબ ખુબ આભાર. નકારાત્મક રાજનીતિ કરનારા હારી ગયા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મુંબઇ હવે વધુ વિકાસ કરશે અને મુંબઇને હવે અમે આંતરરષ્ટ્રીય શહેર બનાવવામાં કોઇ કચાશ રાખશું નહીં. ભાજપ અને શિવસેના પર જનતાએ ભરોસો રાખ્યો છે. માટે તેનો ધન્યવાદ.
મહારાષ્ટ્રની પ્રગતિશીલ જનતાએ વિકાસના વિઝનને મત આપ્યાઃ વડાપ્રધાન મોદી
મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓની ચૂંટણીમાં ભાજપના અભૂતપૂર્વ વિજયને વધાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને એમ કહ્યું હતું કે, રાજ્યની પ્રગતિશીલ જનતાએ એનડીએના લોકલક્ષી અને ગુડ ગવર્નન્સના એજન્ડાને આશિર્વાદ આપ્યા છે. મહાપાલિકાઓના પરિણામ એ બતાવે છે કે, મહારાષ્ટ્રની જનતા સાથે એનડીએનું બોન્ડીંગ વધુ ગાઢ બન્યું છે. વિકાસના અમારા વિઝન અને ટ્રેક રેકોર્ડને મહારાષ્ટ્રની જનતાએ વધાવી લીધા છે. હું સમગ્ર મહારાષ્ટ્રની જનતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. એમણે પ્રગતિની ગતિશીલતા વધારવા માટે મત આપ્યા છે. સાથે હું એનડીએના કાર્યકરો પર પણ ગર્વ અનુભવું છું જેમણે રાજ્યભરમાં લોકોના કામ કર્યા છે અને અથાક મહેનત કરી છે. એમણે અમારું વિઝન લોકો સુધી પહોંચાડ્યું છે.
