ભાજપના નેતા શાહનવાઝ હુસેનને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ
ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈનને મંગળવારના રોજ હાર્ટ એટેક આવતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે શાહનવાઝ હુસૈનને હાર્ટ એટેકના કારણે દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.