બિગ-બી બનાવશે અયોધ્યામાં ઘર
મંદિરથી માત્ર ૧૫ મિનિટના અંતરે ખરીદ્યો ૧૦ હજાર સ્ક્વેર ફૂટનો ૧૪.૫ કરોડનો પ્લોટ
અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ અંગે હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી આ જગ્યા કેટલી મોટી છે અને તેની કિમત કેટલી છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે અમિતાભ બચ્ચન ત્યાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિમત રૂ. ૧૪.૫ કરોડ છે.
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ સાથે સરયુ એન્ક્લેવનું પણ લોકાર્પણ થશે. કહેવામાં આવી રહ્યું છે કે તે ૫૧ એકરમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટમાં રોકાણ અંગે અમિતાભ બચ્ચને એક મીડિયા હાઉસને જણાવ્યું હતુ કે, ‘હું અયોધ્યામાં ધ સરયૂમાં, ધ હાઉસ ઓફ અભિનિદ લોઢા સાથે ઘર બનાવવા માટે ઉત્સાહિત છું. આ શહેરનું મારા હૃદયમાં વિશેષ સ્થાન છે. અયોધ્યાની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિએ તેની ભૌગોલિક સીમાઓ કરતા એક ભાવનાત્મક બંધન બનાવ્યું છે. ત્યાં પરંપરા અને આધુનિકતા સાથે રહે છે. તેમજ હું આ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ કેપિટલમાં મારું ઘર બનાવવા માટે ઉત્સુક છું.’