પાકિસ્તાનમાં કોની વચ્ચે થઈ હિંસા ? કેટલાના મોત ? વાંચો
પાકિસ્તાન અત્યારે રમખાણોની આગમાં લપેટાયેલું છે. બે આદિવાસી સમુદાય જમીનના એક ટુકડા માટે લડી રહ્યા છે અને આ લડાઈ એટલી હિંસક બની ગઈ છે કે પાકના ખૈબર પ્રાંતમાં બંને જૂથો વચ્ચે થયેલી ઘાતક ટક્કરમાં 50 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. 30 એકર જમીનની માલિકીને લઈને હિંસા થઈ હતી.
સત્તાવાર અહેવાલો મુજબ 200 થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા અને દવાખાના ફૂલ થઈ ગયા હતા. કેટલાકની હાલત ગંભીર છે માટે મૃત્યુ આંક વધી શકે છે. આ લડાઈમાં મોર્ટાર, રોકેટ અને નાની રેંજની મિસાઈલોનો છૂટથી ઉપયોગ કરાયો હતો. ઓટોમેટિક ગનથી પણ સામસામે પ્રહાર થયા હતા.
પોલીસે એવી માહિતી આપી હતી કે 5 દિવસ પહેલા 2 સમુદાય વચ્ચે જમીનને લઈને ઝગડો થયો હતો. 24 જુલાઈથી આ લડાઈ શરૂ થઈ હતી અને હોસ્પિટલો ઘાયલોથી ભરાઈ ગઈ હતી. બે આદિવાસી જુથ જમીન પર પોતપોતાનો દાવો કરી રહ્યા છે. જમીન 30 એકર જેટલી છે.