આજથી બાબા અમરનાથની યાત્રા શરુ
જમ્મુથી શ્રધ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના : બાબા બર્ફાનીના દર્શન કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ
જમ્મુ-કાશ્મીરમાં સ્થિત બાબા અમરનાથની યાત્રા આજથી શરૂ થવા જઈ રહી છે. આ માટે શુક્રવારે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. બાબા બર્ફાનીનાં દર્શન માટે તત્કાલ રજીસ્ટ્રેશનની સુવિધા 26 જૂનથી શરૂ થઈ ગઈ છે. અષાઢ પૂર્ણિમાથી શરૂ થતી બાબા અમરનાથની યાત્રા શ્રાવણ પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન લાખો શિવભક્તો બાબાના દરબારમાં પહોંચે છે અને બાબાના ચમત્કારોના સાક્ષી બને છે. દર્શનની નોંધણી માટે શિવભક્તોને આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર **ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે.
આ યાત્રાનો દરેક સ્ટોપનું આગવું મહત્વ છે. દર વર્ષે દેશભરમાંથી હજારો ભક્તો કુદરતી રીતે બનેલા શિવલિંગના દર્શન કરવા કાશ્મીર પહોંચે છે. શ્રાઈન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. ભક્તોની સેવા કરતા સેવાદાર વિવિધ સ્થળોએ લંગરનું પણ આયોજન કરે છે. બરફ હટાવવાથી લઈને આવાસ સુધીની વ્યવસ્થા વિવિધ સ્ટોપ પર શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી છે. તેમ છતાં પડકારોનો અંત આવતો નથી.
જમ્મુ-કાશ્મીરમાં હમણાં હમણાં આતંકી હુમલાની ઘટના વધી ગઈ હોવાથી આ વખતે બંદોબસ્ત વધુ ચુસ્ત બનાવાયો છે. સમગ્ર યાત્રાના ઋટ ઉપર ઠેર ઠેર ચોકી ઉભી કરવામાં આવી છે.