અજીત પવારના મૃત્યુ બાદ હવે પત્ની બની શકે છે નાયબ મુખ્યમંત્રી: સુનેત્રા પવારને મળ્યા છગન ભૂજબળ અને પ્રફુલ પટેલ
અજીત પવારનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. અજિત પવાર માત્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી જ નહોતા, પરંતુ બારામતી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા પણ હતા. તેમના નિધનથી એ પ્રશ્ન ઉભો થયો છે કે હવે તેમની વિશાળ રાજકીય જવાબદારીઓ કોણ નિભાવશે.ત્યારે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બની શકે છે. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી હતી.
સુનેત્રા પવાર બની શકે છે નાયબ મુખ્યમંત્રી
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનેત્રાને ડેપ્યુટી સીએમ પદની ઓફર કરવામાં આવી શકે છે . તેઓ તેમના સ્વર્ગસ્થ પતિ અજિત પવારની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રફુલ્લ પટેલ NCP પ્રમુખ બની શકે છે. તેઓ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરશે. આ બેઠક દરમિયાન એનસીપી (સપા) ના વિલીનીકરણ પર પણ ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચો :અધૂરી સફર…આ બોલિવૂડ સ્ટાર્સે પણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા: એક અભિનેતાએ વિમાન પર થયેલા આતંકી હુમલામાં આખો પરિવાર ગુમાવ્યો’તો
અજિત પવારના મૃત્યુ પછી એનસીપીના ભવિષ્ય વિશેના પ્રશ્નના જવાબમાં, એનસીપી નેતા નરહરિ ઝિરવાલે કહ્યું કે લોકો “વાહિની” ને મંત્રીમંડળમાં સામેલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) રાજ્યમાં શાસક મહાયુતિ ગઠબંધનમાં એક મુખ્ય પક્ષ છે, જેમાં ભાજપ અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પણ શામેલ છે. નોંધનીય છે કે સુનેત્રા પવાર હાલમાં રાજ્યસભાના સાંસદ છે.
નોંધનીય છે કે બુધવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયું હતું, જેમાં અજિત પવાર સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. અજિત પવાર સાથે વિમાનમાં એક સુરક્ષા ગાર્ડ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર હતી. અજિત પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં જિલ્લા પરિષદની ચૂંટણી માટે રેલીઓને સંબોધવાના હતા.
તે સવારે તેઓ મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા, પરંતુ લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો.
