પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ભારત રત્ન આપવાની આમ આદમી પાર્ટી કરી માંગ
આમ આદમી પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મહાન અર્થશાસ્ત્રી અને ઈમાનદાર નેતા ગણાવતા ભારત રત્નની માંગ કરી છે.
આપના સાંસદ સંજય સિંહે કહ્યું કે ભારતના મહાન અર્થશાસ્ત્રી અને 10 વર્ષ સુધી વડાપ્રધાન રહીને દેશને આગળ લઈ જનારા મનમોહન સિંહના નિધનના સમાચાર ચોક્કસપણે સમગ્ર દેશ માટે દુઃખદ ઘટના છે. તે એક ન ભરી શકાય તેવી ખોટ છે. તેમણે કહ્યું, ‘ઈતિહાસ તેમને એક મહાન અર્થશાસ્ત્રી અને ઈમાનદાર નેતા તરીકે હંમેશા યાદ રાખશે.
તેમણે પૂર્વ પીએમના વખાણ કર્યા અને તેમને ભારત રત્ન આપવાની હિમાયત કરી. સંજય સિંહે કહ્યું, કે, તેમને ભારત રત્ન મળવો જોઈએ. આ પહેલા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીનું નિધન દેશ માટે અપુરતી ખોટ છે. તેમની વિદ્વતા અને સાદગીના ગુણોને શબ્દોમાં મૂકવું અશક્ય છે. ભગવાન પુણ્યશાળી આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે. તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’