કર્ણાટકના ગામમાં 1965 માં બે ભેંસ અને એક વાછડાની ચોરી કરવાના ગુનામાં 48 વર્ષ બાદ 78 વર્ષના વૃદ્ધ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના મુખ્ય આરોપી મહારાષ્ટ્રના ઉદગીર ગામના ગણપત વિઠ્ઠલ વાગોરેની ઉંમર તે સમયે 20 વર્ષની હતી. જે તે સમયે તેને પકડવામાં નિષ્ફળતા મળ્યા બાદ આ કેસની ફાઈલ અભેરાઈએ ચડી ગઈ હતી પણ મંગળવારે બીદરની પોલીસે તેને ઝડપી લીધો હતો. આ કેસના બીજા એક સહ આરોપી કૃષ્ણ ચંદરનું 2006 માં અવસાન થઈ ચૂક્યું છે. જોવાની ખૂબી એ છે કે 1965 માં આ ચોરીની ફરિયાદ નોંધાઈ તેના બે દિવસ બાદ જ ચોરીનો મુદ્દામાલ એટલે કે બંને ભેંસ અને વાછડા સાજા નરવા મળી આવ્યા હતા.