બિહાર સરકારે જાતિવાર વસ્તીના આંકડા જાહેર કર્યા
ઘેરા રાજકીય પડઘા પડવાની સંભાવના. રાજકારણમાં ઓબીસી નું પ્રભુત્વ વધશે
દેશમાં ઓબીસી વર્ગની વસ્તી કેટલી છે તે મુદ્દે જબરો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જ બીહર સરકારે સોમવારે રાજ્યના જાતિવાર આંકડા જાહેર કરી દીધા હતા. બિહાર સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યની કુલ 63 ટકા વસ્તી પછાત અને અતિ પછાત વર્ગની છે.
ઉલ્લેખનીય છે કે બિહારમાં જાતિવાર વસ્તી ગણતરી કરવાનો ભાજપે વિરોધ કર્યો હતો. નીતીશ સરકારે સાતમી જાન્યુઆરીએ જાતિવાર વસ્તી ગણતરીનો પ્રારંભ કર્યો હતો.15 મી મે પહેલા એ કામગીરી પૂર્ણ થવાની હતી પરંતુ તે દરમિયાન મામલો અદાલતમાં જતા વસ્તી ગણતરી રોકી દેવામાં આવી હતી.બાદમાં પટણા હાઇકોર્ટે વસ્તી ગણતરીનો વિરોધ કરતી તમામ અરજીઓ રદ કર્યા બાદ આ કામગીરી સંપન્ન થઈ હતી. આંકડા જાહેર થયા બાદ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદ આવે આ ઘટનાને ઐતિહાસિક ગણાવી અને દાયકાઓના સંઘર્ષનું ફળ મળ્યા હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી નીતિશકુમારે ગાંધીજી જયંતિ ના પવિત્ર દિવસે વસ્તી ગણતરી કરનાર તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ કે આખા ભારતમાં જાતિવાઆરબગણતરી કરવાની માગણી કરી હતી. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ જો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસથી સરકાર આવે તો ત્યાં પણ જાતિવાર ગણતરી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
ભાજપના હિંદુવાદ વિરુદ્ધ વિપક્ષોનું ઓબીસી કાર્ડ
બીહાર સરકારના આ પગલાના રાષ્ટ્રવ્યાપી ઘેરા રાજકીય પડઘાં પડવાની સંભાવના છે. વિપક્ષો ઘણા સમયથી આખા દેશમાં ઓબીસી સમુદાયની વસ્તી ગણતરી કરવાની માગણી કરતા રહ્યા છે. એ સમુદાયની વસ્તીના વાસ્તવિક આંકડા જાહેર થાય તો જ એ વર્ગને સામાજિક આર્થિક ન્યાય આપી શકાશે એવી વિપક્ષોની દલીલ છે. ભાજપ સરકાર ઈરાદાપૂર્વક એ કામગીરી ન કરતી હોવાનો વિપક્ષો આક્ષેપ કરતા રહ્યા છે. સંસદના વિશેષ સત્રમાં રાહુલ ગાંધીએ પણ ભાજપ સામે આ મુદ્દે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે યુપીએ સરકારે કરેલી ગણતરીના આંકડા ભાજપ સરકાર જાહેર નથી કરતી. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો સરકાર એ સંખ્યા જાહેર નહીં કરે તો અમે જાહેર કરી દેશું. ઓબીસી જનસંખ્યાના આંકડા જાહેર કરવામાં ભાજપને વાંધો શું છે એવો સવાલ તેમણે કર્યો હતો. એકંદરે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના હિન્દુત્વના શસ્ત્રને બુઠું કરવા માટે વિપક્ષો ઓબીસી કાર્ડનો ઉપયોગ કરશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
જતિવાર આંકડા
અતિ પછાત ૩૬.૧ ટકા
પછાત 27.12%
અનુસૂચિત જાતિ 19.64 ટકા
અનુસૂચિત જનજાતિ 1.06 ટકા
સામાન્ય ૧૫.૫૨ ટકા
બિહારમાં 81.99 ટકા હિન્દુ અને 17.7 ટકા મુસ્લિમ વસ્તી હોવાનું જાહેર થયું છે.