સેનાની તાકાત વધારવા માટે 1.45 લાખ કરોડ ખર્ચાશે
ભારતીય સેનાની તાકાત વધારવા માટે સંરક્ષણ મંત્રાલય મહત્વનું પગલું લીધું છે આજે રાજનાથ સિંગના અધ્યક્ષ સ્થાને મળેલી રક્ષાઅધિ ગ્રહણ પરિષદની બેઠકમાં 1.45 લાખ કરોડના ટેન્કના સાધનો અને પેટ્રોલિંગ જહાજ ખરીદવા મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં અત્યાધુનિક રડાર સહિતના આધુનિક ઉપકરણો ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. ભારત પાસે યુદ્ધની ટેંકો નો મોટો કાફલો છે અને તેના માટે ફ્યુચર રેડી કોમ્બેટ વ્હીકલ ખરીદવા માં આવશે આ વિકલ્પથી યુદ્ધની ટેન્કની ગતિશીલતા વધશે અને ક્ષમતા પણ વધશે.