દેશમાં નિકાસ અંગે શું થઈ આગાહી ? જુઓ
કોણે કરી સારી નિકાસની વાત ?
લાલસાગર સંકટ જેવી ભૌગોલિક અને રાજકીય પડકારોની સ્થિતિ વચ્ચે પણ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી દેશની વસ્તુઓની નિકાસ 450 અબજ ડોલર સુધી પહોંચી જશે. નિકાસકારોના ટોચના સંગઠન ફિયો દ્વારા પોતાના અહેવાલમાં આ મુજબની જાણકારી આપવામાં આવી હતી.
અહેવાલમાં એવું સૂચન પણ કરાયું છે કે સમુદ્રી વીમા અને માલ પરિવહન ચાર્જમાં વધારો કરીને પડકારોનો સામનો આસાનીથી કરી શકાય છે. દેશના નિકાસમાં વધારો કરવા માટે ઓછા ખર્ચ વાળા કરજ અને સુરક્ષાની જરૂર છે. બ્રિટન અને ઓમાન સાથે મુક્ત વ્યાપાર કરાર થયા બાદ પણ દેશના નિકાસને વધુ મદદ મળશે.
અહેવાલમાં સંગઠનના પ્રમુખ અશ્વિની કુમારે એમ કહ્યું હતું કે નાના અને મધ્યમ કદના એકમોને વધુ કરજની જરૂર છે અને તે બારામાં સારા પગલાંની જરૂર છે. આ લોકો જ અર્થતંત્રની કરોડરજ્જુ છે. એમને સરળતાથી કરજ મળતું રહે તો ઉત્પાદન વધે અને રોજગાર પણ વધી શકે છે.
આવા અનેક પડકારાઓ છે પણ તેમ છતાં દેશની નિકાસમાં આગામી દિવસોમાં વધારો થવાનો છે અને આગળ જતાં તેમાં વધુ વૃધ્ધિ થવાની સંભાવના છે. જો કે કેટલાક સહકારી પગલાંની જરૂર તો છે જ, જેથી નિકાસને વધુ વેગ મળે.