Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

પધારો પર્વાધિરાજ ! આપની પધરામણી અમારી મનગમતી વધામણી

Mon, September 2 2024

શ્રી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજતા પૂ.તપસ્વી રત્ના, પ્રવચન પ્રભાવિકા બેન સ્વામી બા.બ્ર.સ્મિતાબાઈ મહાસતીજીનું વ્યાખ્યાન-દિવસ પહેલો
લોકોત્તર પર્વ જે આત્માની શુદ્ધિ કરાવી સિદ્ધત્વ પ્રાપ્ત કરાવે
લોકોત્તર પર્વ જે સંસાર સાગરથી તારી અવિનાથી સુખ પ્રાપ્ત કરાવે

બા.બ્ર.પ.પૂ.સ્મિતાબાઈ સ્વામીએ ધર્મ-ધ્યાન કરીને પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો.
આજનો દિવસ એટલે પર્વાધિરાજ પર્યુષણનો પ્રથમ દિવસ. જિનશાસન દેવની અનરાધાર કૃપામાં સંયમની સાધનાના મંડપ બંધાયા છે. આ દિવસો પ્રેરણા, જાગૃત્રત, દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. ભાવોની જાગૃતિથી આત્મામાં લીન થવાના દિવસો આવ્યા છે. સંજ્ઞાની ગુલામીમાંથી મુક્તિ પામીને ધર્મલાભના દિવસો આવ્યા છે. આરાધના કરીને આરાધક બનવાના દિવસો, સાધના કરીને સાધક બનવાના દિવસો, ઉપાસના કરીને ઉપાસક બનવાના દિવસો આવી ગયા છે.

આત્માની આરાધના કરવા માટે શ્રાવણ વદી તેરસના દિવસે બાહ્ય ત્યાગ-તપની સાથે અભ્યંતર શુદ્ધતાના દિવસો છે. લીલોતરી, કંદમૂળ, હોટેલ, ક્રોધનો ત્યાગ કરવાનો છે. આત્માને કર્મ બંધાવે તેવી પ્રવૃત્તિનો ત્યાગ. આત્માને કર્મોથી મુક્ત કરી પરમાત્માના માર્ગે જવાના પર્વ આવી ગયા છે.


જૈન દર્શનમાં આત્માને તારવાના બે માર્ગ છે. એક, તીર્થ અને બીજું, પર્વ. જે તારે એ તીર્થ. જે જીવનનૈયા પાર કરાવે તે પર્વ. તીર્થ માટે આપણે તીર્થસ્થાને જવું પડે પણ પર્વ આપણે જ્યાં હોઈએ ત્યાં આવી જાય. તીર્થમાં આપણે જોડાવું પડે પણ પર્વમાં આપણે આપોઆપ જોડાઈ જઈએ છીએ. તીર્થ તમામ વૃત્તિઓને રોકે છે પણ પર્વ આત્માની પ્રવૃત્તિઓ કરાવે છે. તીર્થમાં સંપત્તિનો સદ્વ્યય થાય છે. જ્યારે પર્વ એ દાનની સરવાણી છે. તીર્થમાં શીલ પાળવાનું છે પણ પર્વમાં બ્રહ્મચર્યની સાધના થાય છે. પર્વના શ્રેણિક તપમાં બધા જોડાઈ જાય છે. જ્યાં તીર્થંકર પરમાત્માના કલ્યાણકો થયા હોય, જ્યાં તીર્થંકરોના જીવનમાં ભવસાગર પાર કરવાના પ્રસંગો બન્યા હોય એ તીર્થ.


આપણને મળેલું સુખ પુણ્ય સાથે બંધાયેલું છે. પુણ્ય ધર્મ સાથે, ધર્મ શાસન સાથે, શાસન તીર્થંકર ભગવંતો સાથે, તીર્થંકર ભગવાન કેવલ જ્ઞાન અને કેવલ દર્શન સાથે બંધાયેલાં છે. ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. એમ તીર્થંકરોના પાંચ કલ્યાણક છે. સ્વયં પોતે તરે અને બીજાને તારે તે તીર્થંકર છે. કર્મમાંથી મુક્ત કરે છે.

પર્વાધિરાજ શા માટે ?
હમણા ગયા તે લૌકિક પર્વ છે. લૌકિક પર્વ એટલે જ્યાં તમામ કેન્દ્રમાં સ્વાર્થ વૃત્તિ હોય છે. સંસાર કેન્દ્રમાં હોય, સુખી થવાની ઈચ્છા હોય. પરિવારની સમૃદ્ધિ વધે. તમારી મનોઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થાય તે છે. પરિવાર કેન્દ્રીય છે. અત્યારે બધું સારું રહે તે લૌકિક પર્વ છે. આત્માની શુદ્ધિ, આરાધનાનું પર્વ છે. સંસાર ગૌણ-આત્મા પર કેન્દ્ર છે. લોકોત્તર પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ. પર્યુષણમાં આહારનો ત્યાગ, તપનો મહિમા બતાવ્યા છે. દુ:ખને ભૂલીને આત્માના શ્રેયમાં સુખ માનવું. લોકોત્તર પર્વ એટલે આત્માના કર્મ ખરી જાય. પરમાત્માનો ભેટો થઈ જાય. લોકોત્તર પર્વ એટલે સાધનાની સફળતા. ક્રોધ, અહંકાર, સ્વાર્થનો ત્યાગ. આત્માને પરમાત્મા સાથે જોહાણ કરવાનું પર્વ.

તુમ લગા સકો તો બાગ લગાઓ
આગ લગાના મત શીખો.
તુમ બીછા સકો તો ફૂલ બીછાઓ
કાંટે બીછાના મત શીખો.
તુમ પીલા સકો તો અમૃત પીલાઆો
તુમ ઝહર પીલાના મત શીખો.

Share Article

Other Articles

Previous

‘મામું’ બનાવ્યાના રોષ સાથે આજથી ૩૫૦૦ સરકારી ડૉક્ટરોની હડતાલ

Next

લાંચ લેતાં પકડાયેલા ખાણ-ખનીજ વિભાગના અધિકારી નરેશ જાનીની નોકરીનો ` THE END’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
New Whatsapp Rules: હવે દર 6 કલાકે WEB WhatsApp થશે લોગ આઉટ, સરકાર લાવી રહી છે નવા નિયમ, જાણો તમામ માહિતી
3 કલાક પહેલા
ફૂડ પોઇઝનિંગ કે પોઇઝનિંગ? ત્યક્તાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત,પોસ્ટમોર્ટમ વિના જ લાશ સોંપી દીધી!
3 કલાક પહેલા
રાજકોટમાં વિસ્તાર ફરે એટલે સ્પીડબ્રેકરની સાઈઝ પણ ફરી જાય! પોલિસીનો ખુલ્લેઆમ ઉલાળિયો, જાણો કયા વોર્ડમાં કેટલા સ્પીડબ્રેકર
4 કલાક પહેલા
ગૃહમંત્રી દારૂ-ડ્રગ્સના દૂષણ બાબતે સર્વપક્ષિય બેઠક બોલાવે : ગોપાલ ઇટાલિયા લખ્યો પત્ર,દારૂ-ડ્રગ્સની રાજનીતિ ગરમાઇ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2703 Posts

Related Posts

દુબઈએ ભારતીયો માટે 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઓફર કર્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
SA vs AFG semi final : સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાનની શરમજનક હાર, ડ્રેસિંગરૂમમાં ગમગીની છવાઈ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
નાગપુર હિંસાનો માસ્ટર માઈન્ડ ફહિમ ખાન નામનો યુવાન ઝડપાયો, ગઈકાલે પકડાયેલા 50 આરોપીઓ જેલ હવાલે
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
બાંગ્લાદેશમાં ફરી બબાલ : પ્રમુખ શાહબુદ્દીનના રાજીનામાની માગણી સાથે હજારો લોકોનું વિરોધ પ્રદર્શન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર