Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

ઠેબચડા ગામે સ્વયંભૂ પ્રગટ થયા છે “માં આશાપુરા”

Mon, June 3 2024

ટ્રાવેલ્સના ધંધાર્થી પ્રદ્યુમ્નસિંહને માં આશાપુરાએ નાગણી સ્વરૂપે આપ્યા હતા દર્શન: બાદમાં માતાજીનું મંદિર બંધાવ્યું અને કરવા લાગ્યા સેવા-પુજા: માતાજીના દર્શન કરવા આવે છે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ

મૂળ ઠેબચડા ગામના અને રાજકોટમાં રહીને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં પ્રદ્યુમ્નસિંહ કિશોરસિંહ જાડેજાને માં આશાપુરા પર ખૂબ શ્રદ્ધા હોય તેઓ દ્વારા 24 વર્ષ સુધી આસો નવરાત્રિમાં કચ્છ માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં તેઓ અને તેમના મિત્રો સાહિતન અને લોકો રાજકોટથી ચાલીને માતાના મઢ જતાં હતા. એક દિવસ માતાજીએ તેમને દર્શન આપ્યા અને ઠેબચડા ગામે પ્રદ્યુમ્નસિંહની વાડીમાં બેસવાનું કહેતા પ્રદ્યુમ્નસિંહે પોતાની વાડીમાં માં આશાપુરાજીનું મંદિર બંધાવ્યું. ત્યારથી જ પોતાનો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય મૂકીને આજે પ્રદ્યુમ્નસિંહ આ વિસ્તારમાં પદુબાપુ તરીકે જાણીતા બન્યા છે.

રાજકોટથી 20 કીમી દૂર ભાવનગર રોડ પર ઠેબચડા ગામે વર્ષ 2007માં માં આશાપુરા માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિશે કેવી રીતે બન્યું? તે અંગે મંદિરના બાપુ પદુબાપુએ કહ્યું હતું કે, હું 24 વર્ષથી કચ્છ માતાના મઢ પદયાત્રા સંઘ લઈને જતો હતો. એક દિવસે આસો નવરાત્રી દરમિયાન 5માં નોરતે કચ્છ માતાના મઢ જતાં હતા ત્યારે મારી સાથે આ સંઘમાં આવતા મિત્રના શરીરમાં માતાજીનો વાસ થયો અને મને કહ્યું કે, મારે તારી વાડીએ બેસવું છે. ત્યારબાદ ઠેબચડામાં આવેલી મારી વાડીમાં રફડામાંથી માતાજીએ નાગણી સ્વરૂપે દર્શન આપ્યા હતા. બાદમાં વાડીમાં માં આશાપુરા માતાજીની નાની દેરી બંધાવી હતી. માતાજીએ દર્શન આપ્યા બાદ મે મારો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય મૂકીને માતાજીની સેવા પૂજા કરવાનું શરૂ કર્યું.

વર્ષ 2009માં મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને મોટું મંદિર બંધાવવામાં આવ્યું. માં આશાપુરા અહી સ્વયંભૂ પ્રગટ થયા છે. લોકો પણ આસ્થા સાથે આવે છે માતાજી સમક્ષ માથું ટેકવતા લોકોના ધાર્યા કામ થાય છે. માતાજી અહી આવતા લોકોની મનોકામના પૂર્ણ કરતાં હોવાનું લોકોનું કહેવું છે. પદુબાપુની 18 એકર જમીન છે. જેમાં 3 થી 4 એકરમાં મંદિર બનાવવામાં આવ્યું છે. અહી આશાપુરા માતાજી ઉપરાંત કાળ ભૈરવ દાદા, હનુમાનજી દાદા અને શિવજીનું પણ મંદિર આવેલું છે. જ્યારે અહી ગૌ શાળા પણ આવેલી છે. જેમાં 15 થી 20 ગૌ વંશની સર સંભાળ લેવામાં આવે છે.

રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઠેબચડા ગામે બિરાજમાન માં આશાપુરાના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.

કોરોના પહેલા ચાલતા અન્નક્ષેત્રમાં હજારો લોકો લેતા હતા મહાપ્રસાદનો લાભ

પદુબાપુએ કહ્યું હતું કે, જ્યારથી મંદિર બન્યું ત્યારથી જ અહી અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી. બપોર અને સાંજે એમ બંને સમય દરરોજ હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી મહાપ્રસાદનો લાભ લેતા હતા. પરંતુ કોરોના આવ્યા બાદ આર્થિક તંગીને કારણે હાલ અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું છે.

માતાના મઢ જેવુ જ છે આ મંદિરમાં બિરાજમાન આશાપુરા માતાજીનું સ્વરૂપ

ઠેબચડા ગામે વિશાળ જગ્યામાં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. પહેલા નાની દેરીમાં માતાજી બિરાજમાન હતા. જેમ જેમ લોકોની આસ્થા વધતી ગઈ તેમ તેમ મંદિરનો પણ વિકાસ કરવામાં આવ્યો અને 2009માં મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. આ મંદિરની વિશેષતા એ છે કે, અહી બિરાજમાન આશાપુરા માતાજીનું સ્વરૂપ કચ્છ માતાના મઢમાં બિરાજતા માં આશાપુરા જેવુ જ છે. 

મંદિરમાં માતાજીના પ્રાગટ્ય ઉત્સવ સહિત ઉજવાય છે ધાર્મિક કાર્યક્રમો

પદુબાપુને આસો નવરાત્રિના 5માં નોરતે માતાજીએ દર્શન આપ્યા હોય દર વર્ષે આસો નવરાત્રિના 5માં નોરતે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ ઉપરાંત કૃષ્ણ જન્મોત્સવ, રામ નવમી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

Tags:

maaashapurarajkottemplethebachada

Share Article

Other Articles

Previous

ઇન્ફીનીટી ગેઇમ ઝોનની પોલ ખૂલતાં બોક્ષ ક્રિકેટનો અલગ ગેઇટ બનાવ્યો 

Next

એક્ઝિટ પોલ ખોટ્ટા,આવી રમતના માસ્ટરમાઈન્ડ મોદી છે : કોંગ્રેસનો પ્રહાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
4 મિનિટutes પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
32 મિનિટutes પહેલા
ક્રિપ્ટો કરન્સીને દેશના કાયદા હેઠળ મિલકત ગણી શકાય : મદ્રાસ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
52 મિનિટutes પહેલા
બંગલોમાંથી ચોરી થઇ હતી 40 લાખની, તસ્કર પકડાયો’તો ભાવ થઇ ગયો 70 લાખ! વાંચો રાજકોટનો ચોરીનો કિસ્સો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

દરેક ઇઝરાયલી બંધકના બદલે 10 હજાર ડોલર અને ઘર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ત્રીજા તબક્કામાં ૬૪.૪૦ નહી પણ ૬૫.૬૮ ટકા મતદાન થયુ : ચૂંટણી પંચ
ગુજરાત
1 વર્ષ પહેલા
કાશ્મીર: આતંકીઓના સફાયા માટે ખાસ હેરોન ડ્રોનનો ઊપયોગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી જાન્યુઆરીમાં થવાની શક્યતા : ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ
ગુજરાત
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર