Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

રાજકોટમાં છે ભારતનું એવું પ્રથમ મંદિર કે જ્યાં હનુમાનજીના મસ્તિક પર ઝળહળે છે અખંડ દિવાની જ્યોત

Mon, April 22 2024

આજી ડેમના ઉદ્યાનમાં આવેલા દાધા હનુમાનજીનો છે રસપ્રદ ઇતિહાસ: લંકા દહન સમયનું છે હનુમાનજીની મૂર્તિનું સ્વરૂપ છે: મંદિરમાં આવેલું છે દુધેશ્વર મહાદેવનું મંદિર

રાજકોટ સહિત ભારતભરમાં એવા કેટલાય મંદિરો છે કે જેની અલગ-અલગ વિશેષતા અને ઇતિહાસ છે. રાજકોટમાં પણ હનુમાનજી દાદાનું એક એવું મંદિર આવેલું છે કે જ્યાં હનુમાનજી દાદાના મસ્તિક પર વર્ષોથી અખંડ દિવાની જ્યોત ઝળહળે છે. આ મંદિર રાજકોટમાં આજી ડેમ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનમાં આવેલું છે.

રાજકોટમાં આજી ડેમમા ઉદ્યાનમાં આવેલું આ મંદિર એક જંગલ જેવા વિસ્તારમાં આવેલું છે. મંદિરમાં પ્રવેશતા જ અલૌકિક વાતાવરણનો અનુભવ થાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે, આખા ભારતનું એક માત્ર એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી દાદાના મસ્તિક પર દિવાની અખંડ જ્યોત ઝળહળે છે.

મંદિર વિશે જણાવતા મનોજભાઇ કિહોરાએ જણાવ્યું હતું કે, રાજાશાહી વખતનું આ મંદિર છે. એક સમયે જ્યારે બહાર ગામથી એક રાજા રાજકોટ આવ્યા હતા અને એમણે પોતાના મલ સાથે રાજકોટના મલને કુસ્તી કરવા કહ્યું હતું. તે સમયે રાજકોટના રાજાએ પોતાના સૈનિકોને મલ શોધી લાવવા કહ્યું હતું. એ સમયે જ્યારે આજી ડેમ પણ ન હતો. ત્યારે આ જગ્યાએ થોરાળા ગામ હતું. હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં મેવાડા કુટુંબનો નેશડો હતો. જ્યાં દાધા મેવાડા રહેતા હતા અને તે સમાયે તેઓ બળવાન હતા.

દાધા મેવાડાને રાજાએ મલ સાથે કુસ્તી કરવા કહ્યું. જે દાધા મેવાડાએ સ્વીકાર્યું અને મલ સાથે કુસ્તી કરી. એક જ ઘામાં બહારના મલને પરાસ્ત કર્યો અને રાજકોટનું નામ રોશન કર્યું. જેનાથી ખુશ થઈને રાજાએ તે સમયે નેશની જમીન દાધાભાઈને તાંબાના પત્ર પર લખી આપી.

આ ઘટના બાદ ચોમાસા દરમિયાન હનુમાનજીની મૂર્તિ નદીમાં તણાઈને આવી. જે મૂર્તિ દાધાભાઈને મળી. મૂર્તિ લઈને તેઓ નેશમાં આવ્યા. ત્યારે નેશમાં હનુમાનજીનું મંદિર ન હોવાથી નેશમાં જ નાની દેરી બનાવી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. આ સમયે રાજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું. રાજાએ નેશમાં આવીને કહ્યું કે, હનુમાનજીની સ્થાપના દાધા મેવાડાને કારણે થઈ છે. માટે આ હનુમાનજી દાધા હનુમાન તરીકે ઓળખાશે. 

આ ઉપરાંત હનુમાનજીની મૂર્તિની વાત કરવામાં આવે તો મૂર્તિનું જે સ્વરૂપ છે તે લંકા દહન સમયનું હનુમાનજીનું રૂપ છે. જ્યારે આજે હનુમાનજીના મસ્તિક ઉપર જે અખંડ દીવો છે તેની પાછળ પણ એક ઇતિહાસ છે. જે અંગે વાત કરતાં મનોજભાઇએ કહ્યું હતું કે, જ્યારે નેશમાં રહેતી દીકરી પરણીને સાસરે ગઈ હતી ત્યારે તેને સંતાન થતાં ન હતા. દીકરીએ દાધા હનુમાનજી પાસે પોતાની વ્યથા રજૂ કરી માનતા રાખી કે જો તેને સંતાનમાં દીકરો થશે સાસરેથી મંદિર સુધી માથે દીવો લઈને આવશે. દીકરીની અ માનતા પૂરી થઈ અને દીકરી માથે દીવો લઈને ચાલતી આવી હતી. જે દીવો આજે પણ અખંડ જળહળે છે. આ ઉપરાંત મંદિરના પટાંગણમાં દુધેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે કે જ્યાં શ્રાવણ માસમાં રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે.

કલકતાથી સોની વેપારીઓ દાધા હનુમાન મંદિરમાં કરતાં યજ્ઞ

દાધા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની જે મૂર્તિ છે તે લંકા દહન સમયની હોય અને લંકા દહન સમયે હનુમાનજીએ શનિદેવને રાવણે પકડી લીધા હોય હનુમાનજીએ શનિદેવને છોડાવ્યા હતા. માટે આ મંદિરમાં વર્ષો પહેલા લોકો સાડાસાતી ઉતારવા માટે હવન કરતાં હતા. એ સમયે ક્લકત્તાથી પણ સોની વેપારીઓ અહી આવતા હતા. જમીનમાં ૧૦ ફૂટ ઉંડો ખાડો કરીને ૧૫ દિવસથી લઈને એક મહિના સુધી હોમ-હવન કરતાં હતા.

મંદિરના મહંત ઉનાળાના આકરા તાપમાં ધૂણી ધખાવીને કરે છે તપ

આ મંદિરના મહંત રાઘવદાસજી બાપુ હાલ મંદિરમાં સેવા-પુજા કરે છે. તેઓ ખાખી સાધુઓની પરંપરા મુજબ દર વર્ષે ઉનાળાના ૪ મહિના દરરોજ આકરા તાપમાં પણ ધૂણી ધખાવીને તપ-સાધના કરે છે. વસંત પંચમીથી આ તપ શરૂ થાય છે અને ભીમ અગિયારસ સુધી ચાલે છે. દરરોજ બપોરે ૧ વાગ્યાથી લઈને ૨:૩૦ વાગ્યા સુધી અ તપ કરવામાં આવે છે. જેમાં મહંતની ફરતે છાણાં તાપવામાં આવે છે અને મહંત વચ્ચે બેસીને તપ કરે છે.

દર મહિને માનસિક વિકલાંગ બાળકોને કરાવાય છે ભોજન

નાની દેરી સ્વરૂપે રહેલા મંદિરનો સમય જતાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને આજે દાધા હનુમાનજી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ બન્યું છે. દાધા હનુમાનજી ગ્રુપ પણ બન્યું છે જેમાં ૨૦ થી ૨૫ જેટલા સભ્ય છે. જેમાં પ્રવીણભાઈ પટેલ, મનોજભાઈ બોરિચા, નિલેશભાઈ ખૂંટ સહિતના સેવકગણો દર મહિને ત્રંબામાં આવેલા કસ્તુરબા આશ્રમ ખાતે રહેતા તેમજ એકરંગ આશ્રમમાં રહેતા માનસિક વિકલાંગ બાળકોને નિ:શુલ્ક ભોજન કરાવે છે.

સાધુ-સંતો માટે ભંડારા અને દર શનિવારે થાય છે સુંદરકાંડના પાઠ દાધા હનુમાનજી મંદિરની વિશાળ જગ્યામાં વર્ષોથી અવિરત સાધુ-સંતોના ભંડારા પણ ચાલે છે. આ મંદિરમાં અવાર-નવાર મોટી સંખ્યામાં સાધુ સંતો આવતા હોય છે. તેમના માટે ભોજનની પણ અહી વ્યવસ્થા છે ઉપરાંત તેમના રહેવા માટે સંત કુટિયા પણ બનાવવામાં આવી છે. જ્યારે જે લોકો અહી માનતા રાખે છે અને તે પૂરી થતાં માનતા પૂરી કરવા માટે મણીંદો ધરાવે છે. ઉપરાંત તાવો પણ છે. તેમના માટે મંદિરમાં જ વાસણ સહિતની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

રાહુલ ગાંધી, થરુર, હેમામાલિની અને અરુણ ગોવિલનું ભાવિ ઘડાશે

Next

જાણો આજનું રાશિફળ | 22-04-2024

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધ્વનિ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી : સરકારની નિષ્ફળતા સામે HC નારાજ, શેરી ગરબા પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
12 કલાક પહેલા
કેમિકલ ફેકટરીમાં CI સેલની ટીમે કર્યો લાખેણો કડદો? મુખ્યમંત્રી, ગૃહમંત્રીને ફરિયાદ કરવાનો તખ્તો ઘડાતો હોવાની ઉદ્યોગકારોમાં ચર્ચા
12 કલાક પહેલા
મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
12 કલાક પહેલા
આ દિવાળી વેકેશનમાં સૌરાષ્ટ્ર ‘વિયેતનામ’માં: 50%થી વધુ વિદેશ પ્રવાસનાં બુકીંગ : ઇન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિકનાં પેકેજ મોંઘા
12 કલાક પહેલા
Categories

નેશનલ

2501 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગીભર્યો રહેશે, આર્થીક લાભ થઈ શકે છે
ધાર્મિક
1 વર્ષ પહેલા
રાજકોટ : આજી નદીમાં એક્સપાયર નમકીન ફેંકી જનાર પકડાયો, મનપાએ 10 હજારનો દંડ વસૂલ્યો
ગુજરાત
6 મહિના પહેલા
લોકસભામાં વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, જુઓ શું કહ્યું
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
દુલિપ ટ્રોફીમાં ત્રીજા દિવસે લાગી ત્રણ સદી
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર