Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

ખેડૂતોના પાકની રક્ષા કરતાં એટલે કહેવાયા “ખેડાના હનુમાન”

Mon, March 18 2024

કુવાડવા રોડ પર આવેલું છે લાલ હનુમાનજીનું 150 વર્ષ જૂનું મંદિર

મંદિરના વિશાળ પટાંગણમાં ચાલે છે માનસિક વિકલાંગ બાળકોનો સેવાયજ્ઞ: નર્મદાથી શિવલિંગ લાવી કરાઇ હતી “શ્યામનાથ મહાદેવ”ની સ્થાપના 

રાજકોટ નજીક કુવાડવા રોડ પર હનુમાનજી દાદાનું એક એવું મંદિર આવેલું છે જે અંદાજે 150 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ મંદિરની સ્થાપના જે-તે સમયે સુરેન્દ્રનગરના સ્ટેટ અને આસપાસના ખેડૂતોએ કરી હોવાનું માનવામાં આવે છે. આ મંદિરનું નામ છે “લાલ હનુમાનજી મંદિર”. જો કે મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદા “ખેડાના હનુમાન” તરીકે પણ આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે. હનુમાનજીનું આ નામ કઈ રીતે પડ્યું તેની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ રહેલો છે.

રાજકોટથી અંદાજે 10 કિમી દૂર જૂના કુવાડવા પોલીસ સ્ટેશન સામે, નવાગામ-આણંદપર, કુવાડવા રોડ પર લાલ હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિરનું નામ લાલ હનુમાન છે પરંતુ અહી સ્થાપિત હનુમાનજીને “ખેડાના હનુમાન” તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે મંદિરના પૂજારી અનમોલ દાસજીએ કહ્યું હતું કે, હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં વર્ષો પહેલા ખેતરો આવેલા હતા. ખેતરમાં ખેતી કામ કરતાં ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે અહી હનુમાનજીની સ્થાપના કરી હતી. જ્યારે તે સમયે ખેડૂતો પોતાના ખેતરમાં થતી ઉપજ (પાક)નો દશમો ભાગ હનુમાનજીને ધરાવતા હતા અને તે સમયે ચાલતા અન્નક્ષેત્રમાં ભાગ આપતા હતા ત્યારથી જ હનુમાનજીને “ખેડાના હનુમાન” કહેવામાં આવે છે.

આ મંદિર અંદાજે 3 હજાર વાર જગ્યામાં આવેલું છે. મંદિર પ્રવેશતા જ શાંતિનો અનુભવ થાય છે. જ્યારે મંદિરના વિશાળ પટાંગણમાં ઘટાદાર લીમડા, પીપળા અને વડના વૃક્ષો આવેલા છે. અહી હનુમાનજી ઉપરાંત મહાદેવજીનું પણ મંદિર આવેલું છે. જેનું નામ છે શ્યામનાથ મહાદેવ. મહાદેવજીના મંદિરમાં પીતાંબરદાસ નામના વૈરાગી સાધુએ નર્મદાથી શિવલિંગ લાવી અહી શિવલિંગની સ્થાપના કરી હતી. જ્યારે મંદિરના પટાંગણમાં રામજી મંદિર પણ આવેલું છે.

આ મંદિર વિશાળ જગ્યામાં આવેલું છે હોય વર્ષો પહેલા જ્યારે અહીથી સાધુ-સંતો પસાર થતાં ત્યારે તેઓ આજ મંદિરમાં વિશ્રામ કરતાં અને ભોજન પણ કરતાં. માટે આજે પણ અહી વર્ષોથી નિ:શુલ્ક અન્નક્ષેત્ર ચાલુ છે. જ્યારે અખાડા, જમાતના સાધુ-સંતોને રહેવા માટે સંત નિવાસ પણ છે. મહત્વનું છે કે, હાલ આ જગ્યા દિલ્હીના હરિહર પરિવાર ઉદાસીન પંચાયતી બડા અખાડાની કહેવામાં આવે છે. આ મંદિરના સંત નિવાસમાં અવાર-નવાર મોટી સંખ્યામાં સાધુ-સંતો પધરામણી કરતાં હોય છે.

આ ઉપરાંત મંદિરની પાછળના ભાગમાં માનસિક વિકલાંગ બાળકોનો આશ્રમ પણ આવેલો જ્યાં પસુબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક વિકલાંગ બાળકોની સાર-સંભાળ રાખવામાં આવે છે. આજે 30 જેટલા માનસિક વિકલાંગ બાળકો આ આશ્રમમાં રહે છે. જ્યારે આ ટ્રસ્ટનું સંચાલન વિજયભાઇ કરી રહ્યા હોવાનું પૂજારીએ જણાવ્યું હતું.

ખેડૂતો પોતાનો પાક પ્રથમ હનુમાનજીને ધરાવવા આવે છે

વર્ષો પહેલા ખેડૂતોએ પાકના રક્ષણ માટે અહી હનુમાનજી દાદાનું મંદિર બંધાવ્યું હતું ત્યારથી ખેડૂતો પોતાના ખેતરમાં થતી ઉપજ (પાક)માંથી થોડોક ભાગ હનુમાનજી દાદાને ધરાવતા હતા. જે પરંપરા આજે પણ ચાલુ રહી છે અને આજના સમયમાં પણ ખેડૂતો પોતાની ઉપજ(પાક)નો 10મો ભાગ હનુમાનજી દાદાને ધરાવવા આવે છે.

માનતા પૂર્ણ થતાં ભક્તો હનુમાનજીને ધરાવે છે લાડવા

મંદિરની આસપાસના ગામોના લોકોને હનુમાનજી દાદા પર ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જેના કારણે અહી મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજી દાદાના દર્શનાર્થે આવતા હોય છે. ઉપરાંત માનતા પણ રાખતા હોય છે. જે શ્રદ્ધાળુઓની માનતા પૂર્ણ થાય તેઓ મંદિરે આવીને હનુમાનજી દાદાને ચોખ્ખા ઘીના લાડુનો પ્રસાદ ધરાવે છે.

શિવજીના મંદિરે ઉજવાય છે શ્રાવણ માસ

લાલ હનુમાનજી મંદિર આ વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત હોય અહી તમામ તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. જેમાં આસપાસના ગામના લોકો પણ ભાગ લે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહી ભક્તોની ખૂબ જ ભીડ રહેતી હોય છે. જ્યારે શ્રાવણ માસ દરમિયાન આવતા વ્રતની પણ દીકરીઓ અને મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

ભાજપની હેટ્રિક તરફ કુચ અને કોંગ્રેસના ગોથાં

Next

તફડંચીનો નવો કીમિયો ! અકસ્માત કરી હોસ્પિટલે લઈ જતી વખતે ચેઈનની લૂંટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
6 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
7 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
7 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

માત્ર 50 ગ્રામ વજન વધારે હોવાથી વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર : સિલ્વર મેડલ પણ નહીં મળે
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીને કારણે ડિબ્રુગઢ એક્સપ્રેસ પલટી ગઈ હતી : ગોંડા ટ્રેન દુર્ઘટનાના તપાસ રિપોર્ટમાં ખુલાસો
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
વડાપ્રધાન નેતન્યાહુ અને રક્ષા મંત્રી ગાઝા સરહદે પહોંચ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જાડેજા પરિવારનો વિવાદ : ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પિતાના આક્ષેપોનો આપ્યો જવાબ, વાંચો શું કહ્યું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર