Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી ચાલે છે નિરંતર અન્નક્ષેત્ર

Mon, July 15 2024

એરપોર્ટ રોડ પર આવેલા મંદિરમાં નર્મદાથી લવાયું હતું શિવલિંગ: ચૈતન્ય હનુમાનજીના નાના મંદિર બાદ બનેલું શિવ મંદિર આજે લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું 

રાજકોટમાં એક એવું શિવ મંદિર છે કે જ્યાં 21 વર્ષથી નિરંતર અન્નક્ષેત્ર ચાલે છે. જે કોઈ પણ ફંડ કે ફાળો ઉઘરાવ્યા વગર. 70 વર્ષ પહેલા બનેલા આ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદાથી શિવલિંગ લાવવામાં આવ્યું હતું અને તેની ધામધૂમ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે આ મંદિર સમગ્ર વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

રાજકોટના એરપોર્ટ રોડ ફાટકથી રૈયા રોડ તરફ જવાના રસ્તે જૈન બોર્ડિંગ પાસે શ્રી મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેનું નિર્માણ અંદાજે આજથી 70 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ મંદિરના સંચાલન માટે શ્રી મહાકાલેશ્વર મહાદેવ સેવા સમિતિ બનાવવામાં આવી છે. જેનું સંચાલન ભૂષણભાઈ બુંદેલા દ્વારા કરવામાં આવે છે. વર્ષો જૂના મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપતા શ્રી મહાકાલેશ્વર મહાદેવ સેવા સમિતિના કાર્યકર ઇશિત ટંકારીયાએ જણાવ્યું હતું કે, આજથી 70 વર્ષ પહેલા આ મંદિરની સમિતિના કાર્યકર એવા રમણભાઈના ગુરુ મહારાજ કે જેઓ હિમાલયના પહાડોમાં રહેતા હતા તેઓ અહી આવ્યા હતા અને એમણે રમણભાઈને કહ્યું હતું કે, અહી મંદિર બનાવવાની ઈચ્છા છે. તમે મૂર્તિ લઈ આવો. ત્યારે તેઓ નર્મદાથી શિવલિંગ લાવ્યા અને ગુરુ મહારાજ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું.

શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર બન્યું તે પહેલા અહી ચૈતન્ય હનુમાનજીનું એક નાનું મંદિર હતું. તેમની કૃપાથી જ અહી વિશાળ મહાદેવનું મંદિર બન્યું છે. મહત્વનું છે કે, મંદિરની સ્થાપના અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અહી ધાર્મિક કાર્યક્રમોનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ભંડારો-મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં શિવજી ઉપરાંત કાળ ભૈરવ દાદા, અન્નપૂર્ણા માતાજી, અંબા માતાજી, ખોડિયાર માતાજી, શીતળા માતાજીનું પણ મંદિર આવેલું છે. જ્યારે અહી છેલ્લા 21 વર્ષથી અખંડ ધૂણો પણ આવેલો છે. મંદિરમાં 3 જેટલા સાધુ આવ્યા હતા અને તેઓ અહી ધૂણો ધખાવી તપ કરતાં હતા.

શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષ 2004, 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણના દિવસથી અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી. જે આજે પણ ચાલુ છે. દરરોજ સાંજે મંદિરમાં જ 500 થી 700 લોકો માટે ખિચડી, શાક, રોટલા, રોટલીનો પ્રસાદ બનાવવામાં આવે છે. જ્યારે કેન્સર અને બીટી હોસ્પિટલમાં દર્દી અને એમના સગાઓ માટે ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જે લોકો ફોન કરે તેને ટિફિન પહોંચાડવામાં આવે છે. જ્યારે દર વર્ષે ઉતરાયણ પર ભંડારો-મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. મહત્વનું છે કે, આ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી અવિરત રીતે અન્નક્ષેત્ર આજે પણ ચાલુ છે. તો વળી આરતી સમયે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે તે સમયે ગાયોને નિણ પણ નાખવામાં આવે છે. હાલ આ મંદિરમાં જયેશભાઈ મંદિરની સેવા-પૂજા કરે છે.

મહત્વનું છે કે, મંદિરમાં કોઈપણ પ્રકારનો ફાળો કે ફંડ લેવામાં આવતું નથી. માત્ર દાતાઓ સામેથી આવીને દાન આપી જાય છે. તો વળી આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્શન કરવા આવતા લોકો કાચું રાશન મંદિરમાં આપી જાય છે. શ્રી મહાકાલેશ્વર મહાદેવ સેવ સમિતિમાં 30 જેટલા સભ્ય છે. જેઓ રામનવમી, શિવરાત્રી જેવા તમામ ધાર્મિક તહેવારો અને ઉત્સવોનું ધામધૂમ પૂર્વક આયોજન કરી ઉજવણી કરે છે. 

દર શ્રાવણ માસના સોમવારે કરાય છે વિશેષ શૃંગાર

આજે શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દરરોજ અહી સવારે ભગવાન ભોળાનાથને રીઝવવા ભક્તોની ભારે ભીડ રહે છે. જ્યારે આ મંદિરમાં દર શ્રાવણ માસ નિમિત્તે શિવજીને જુદા-જુદા શૃંગાર પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન શિવને કરવામાં આવતા શૃંગાર શ્રાવણ માસના દર સોમવારે તો અલગ-અલગ હોય જ છે પરંતુ દર વર્ષે પણ પાછલા વર્ષ કરતાં વિશેષ અને અલગ શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ માસના દર સોમવારે ભક્તો માટે આ મંદિરમાં ફરાળનો પ્રસાદ પણ રાખવામાં આવે છે.

સમિતિ દ્વારા કરાયા છે બાળાઓ માટે ગરબીનું આયોજન

શ્રી મહાકેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા દ્વારા દર વર્ષે મંદિર પાસેના ચોકમાં નાની બાળાઓ માટે નવરાત્રી દરમિયાન ગરબીનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં 4 થી 11 વર્ષની બાળાઓ 9 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે. આ તમામ બાળાઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી પણ લેવામાં આવતી નથી. જ્યારે લાની સ્વરૂપે 15 જેટલી વસ્તુઓ આપવામાં આવે છે. 

Share Article

Other Articles

Previous

રેસકોર્સમાં મહાપાલિકા માટે બોક્સ ક્રિકેટ’ બનાવવા કોઈ તૈયાર થતું નથી !

Next

રાજકોટમાં જન્માષ્ટમીએ લોકમેળા સાથે ટ્રાફિકના રાસડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
14 કલાક પહેલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : વડાપ્રધાનની હાજરીમાં યોજાશે ભવ્ય પરેડ
14 કલાક પહેલા
ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે 12 વાગ્યે શરૂ થશે SIRનો બીજો તબક્કો : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મોટી જાહેરાત
15 કલાક પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
15 કલાક પહેલા
Categories

નેશનલ

2596 Posts

Related Posts

સોશિયલ મીડિયાના શહેનશાહ નરેન્દ્ર મોદી, જુઓ કેટલા યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર થયા
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
વિવાદિત નિવેદનો માટે જાણીતા ઉત્તર પ્રદેશના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય ફરી બસપામાં સામેલ થશે, ચૂંટણી લડી શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી એરપોર્ટ પર સ્થિતિમાં થયો સુધારો : માઈક્રોસોફ્ટના સંકટ વચ્ચે કેટલીક સ્ક્રીન ઉપર કામ શરુ
Breaking
1 વર્ષ પહેલા
તૈયાર રહેજો…રાજ્યમાં 120થી વધુ PIને હવે ગમે ત્યારે Dy.SP તરીકે પ્રમોશન મળશે
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર