સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની અતિભવ્ય ઉજવણી: દાદાના દર્શન કરવા ભક્તોનું ઘોડપુર ઉમટ્યું
આજે હનુમાન જયંતિનો પાવન પર્વ છે ત્યારે લાખો ભક્તોના આસ્થાનું કેન્દ્ર એવા સાળંગપુર ધામમાં દાદાના દર્શન કરવા માટે અનેક ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારથી સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જ્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
આજે હનુમાન જ્યંતિ નિમિત્તે આખો દિવસ દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બપોરે 1 કલાકે સાળંગપુર દર્શન કરવા માટે જશે. આજે પહેલીવારે મંગળા આરતી શૃંગાર આરતી અને ત્યારબાદ દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો છે
મંદિર પરીસરમા સંતો દ્વારા 250 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાળંગપુરમાં મારુતિ યજ્ઞ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો એ લાભ લીધો હતો. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા જેનાથી મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું