Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

ઉત્તર પ્રદેશના ઓમકારેશ્વરથી શિવલિંગ લાવી કરાઇ છે સ્થાપના

Mon, April 1 2024

રાજકોટમાં મહાદેવનું એક એવું મંદિર કે જ્યાં

મવડીની વૃંદાવન સોસાયટીમાં આવેલું છે રામેશ્વર મહાદેવ મંદિર: 70 વાર જગ્યામાં બનેલા મંદિરમાં શનિદેવને તેલ ચડાવવા લાગે છે ભક્તોની લાઇન

રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના આજથી 22 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અહી શિવજી સ્વયંભૂ પ્રગટ નથી થયા. પરંતુ આ વિસ્તારમાં મંદિરમાં ન હોય લોકો સનાતન ધર્મમાં આવતા ધર્મિક પ્રસંગો ઉજવી શકે અને ભગવાનની પૂજા-અર્ચના કરી શકે તે માટે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. 

રાજકોટના મવડીમાં વિસ્તારમાં વૃંદાવન સોસાયટી શેરી નં.6માં રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જેની સ્થાપના વર્ષ 2002માં કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતા એક રાજકીય અગ્રણી બાબુભાઇ વાંકને મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. બાદમાં એમણે સોહન લાલ આમેટા, ગોપાલભાઈ આમેટા, સોનાબેન સવાડ વિશ્વેશર મહાદેવ મંદિરના મહંત સાથે મળીને મંદિરની સ્થાપના કરી હતી.

આ મંદિર વિશે મંદિરના પૂજારી અલ્પેશભાઈ આમેટાએ જણાવ્યું હતું કે, સ્વ. બાબુભાઇ વાંકે મંદિર માટે પોતાની 70 વાર જગ્યા દાનમાં આપી દીધી હતી. ત્યારબાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. વર્ષ 2002માં મંદિર તૈયાર થતાં અખાત્રીજના દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવા માટે ઉત્તર પ્રદેશના ઓમકારેશ્વરની નર્મદા નદીથી શિવલિંગ લાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે, નર્મદા નદીમાં રહેલા કંકડ પણ શિવલિંગ માનવામાં આવે છે. આ વિસ્તારમાં મંદિર બનતા લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે સનાતન ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરે છે.

આ મંદિર પરિસરમાં મહાદેવ ઉપરાંત ઉમિયા માતાજી, રામ દરબાર, ખોડિયાર માતાજી, શીતળા માતાજી, શનીદેવ, સાઈબાબા રાધા કૃષ્ણની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતા લોકોને રામેશ્વર મહાદેવ પર ખૂબ જ શ્રદ્ધા છે. એવું કહેવાય છે કે, અહી માત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી માથું ટેકાવનારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ વિસ્તારમાં એકમાત્ર આ મંદિરમાં જ શનિદેવની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હોય દર શનિવારે શનિદેવને તેલ ચડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો આહી આવે છે.

મંદિરમાં ઉજવાતા તહેવારો અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં ભક્તો અને લતાવાસીઓ જ પોતાની રીતે ફાળો એકઠો કરી તહેવારોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. રામ નવમી, શિવરાત્રી, હનુમાન જયંતી સહિતના પ્રસંગો હર્ષોલ્લાસ અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.

30 મહિલાઓ ચલાવે છે ધૂન મંડળ 

શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી તો થાય જ છે. ઉપરાંત અહી ગોપી મંડળ પણ ચાલે છે. જેમના દ્વારા ધૂન-ભજન, કિર્તન કરવામાં આવે છે. આ ગોપી મંડળમાં અંદાજે 30 જેટલી મહિલાઓ છે. જે ધૂન મંડળ ચલાવે છે.

Share Article

Other Articles

Previous

કેજરીવાલના રિમાન્ડ પુરા થતા ૧૫ એપ્રિલ સુધી જેલહવાલે

Next

આકવકવેરા નિયમમાં શું ફેરફાર થયા…વાંચો…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
MAYDAY MAYDAY…અમદાવાદ એરપોર્ટ પાર મોટી દુર્ઘટના ટળી : દીવ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ લાગી આગ
3 કલાક પહેલા
રાજકોટની 50 સહિત સૌરાષ્ટ્રની CBSEની 200 જેટલી સ્કૂલો ફરીથી CCTVનું સેટઅપ ગોઠવશે : વીડિયો સાથે ઓડિયો ફરજિયાત
4 કલાક પહેલા
સાહેબ…મારી ઇકો ગાડી, રાજકોટ સિવિલનો કપડાં સુપરવાઇઝર પરત નથી કરતો! ધોલાઇ કોન્ટ્રાકટરે પોલીસને અરજી કરી
4 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટના : બ્રિટિશ પરિવારોએ બીજાના મૃતદેહ મળ્યાનો લગાવ્યો આરોપ, વિદેશ મંત્રાલયએ આપ્યો કંઈક આવો જવાબ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

ઝારખંડ : ગ્રામ વિકાસ મંત્રી આલમગીરની નજીકના માણસના ઘરેથી ઈડીએ કરોડો રૂપિયાની રોકડ કબજે કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શેરબજારમાં ભૂકંપ : સેન્સેક્સ 1800 પોઈન્ટ અને નિફ્ટી 600 પોઈન્ટ તુટ્યો : યુધ્ધનો ભયથી રોકાણકારો ધોવાયા
Breaking
10 મહિના પહેલા
રાજકોટના લોકમેળાનો વિવાદ : ઘીના ઠામમાં ઘી પડી જશે! ગાંધીનગર ગયેલા ભાજપના શાસકોને મુખ્યમંત્રીએ આપી બાહેંધરી
ગુજરાત
5 દિવસ પહેલા
Ind vs Pak ICC World Cup : ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર