સીબીઆઈએ કોની ધરપકડ કરી ? જુઓ
કેટલા હજાર કરોડનું છે કૌભાંડ ?
સીબીઆઈએ ડીએચએફએલ (દીવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ)ના ભૂતપૂર્વ ડિરેક્ટર ધીરજ વાધવનની રૂ. 34,000 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં મંગળવારે ધરપકડ કરી લીધી હતી. . અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.
વાધવાનની મુંબઈથી ધરપકડ કરી લેવાઈ હતી. તેને દિલ્હીની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો,
અધિકારીઓએ કહ્યું હતું કે સીબીઆઈએ આ મામલામાં 2022માં તેમની સામે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. વાધવાનની અગાઉ યસ બેંક ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે જામીન પર હતો. આ દેશનો સૌથી મોટો બેંકિંગ લોન ફ્રોડ કેસ માનવામાં આવે છે.
વાધવાનની કેટલીક સંપત્તિ પણ અગાઉ જપ્ત કરવામાં આવી હતી. આ મોટા કૌભાંડમાં અન્ય કેટલાક લોકો પણ સંડોવાયેલા હતા અને 2022 થી આ કેસની તપાસ થઈ રહી છે. બેન્કોના પણ કેટલાક અધિકારીઓની પહેલા પૂછપરછ કરવામાં આવી હતી.