કોઠારીયામાં પત્ની સાથે ડખ્ખો થતા પતિનો આપઘાત
શહેરનાં કોઠારિયા સોલવન્ટ બિલેશ્વર પાર્કમાં રહેતા યુવકને તેની પત્ની સાથે ઝઘડો થતાં ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. વિગતો મુજબ કોઠારિયા સોલવન્ટમાં બિલેશ્વર પાર્કમાં રહેતાં ચિરાગભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.25) નામનાં યુવકે ગઈકાલ સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે યુવકનાં પરિવારને જાણ થતાં તાકીદે 108 ને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો.આ મામલે આજીડેમ પોલીસે મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક યુવક બે બહેનમાં એકનો એક ભાઈ હતો. યુવકનાં હજુ 8 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. બાદ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં પત્ની છેલ્લાં બે મહિનાથી માવતરે જતી રહી હતી.જે બાબતે બંને ઝગડો થતાં યુવકે આ પગલું ભરી લીધું હતું.