સાયલાના ગરાંભડી ગામની સીમમાં રૂ.1.44 કરોડના ગાંજાનું વાવેતર પકડાયું
સુરેન્દ્રનગર એસઓજીનું મેગા ઓપરેશન: પાંચ ખેડૂતની ધરપકડ
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગરાંભડી ગામની સીમમાં એસઓજીની ટીમે દરોડો પાડી પાંચ ખેતર માંથી રૂ.1.44 કરોડનો ગાંજાનું વાવેતર પકડી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આ પાંચ શખ્સોની પૂછપરછમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સપ્લાયના રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે. એસઓજીએ આ મામલે વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર એસઓજીના પી. આઈ એસ.એમ.જાડેજાને મળેલી બાતમીના આધારે સાયલા તાલુકાના ગરાંભડી ગામની સીમમાં અલગ અલગ પાંચ ખેરતમાં દરોડો પડયો હતો અને ગરાંભડી ગામના જાદવ ગોવિંદભાઈ રંગપરાના ખેતર માંથી લીલા ગાંજાના ૩૭૧ છોડ જેનું વજન ૯૬૫ કિલો કિ.રૂ ૯૬,૫૦,૦૦૦, તેમજ ગરાંભડી ગામના વજા નાજાભાઈ રંગપરાની વાડી માંથી ૧૩ છોડ ગાંજાના જેનું વજન ૬૩ કિલો કિમત રૂ. ૬,૩૦,૦૦૦, ગરાંભડીના ભોપા નાજાભાઈ રંગપરાના ખેતર માંથી ૨૧ છોડ વજન ૩૬ કિલો ૨૦૦ ગ્રામ કિ.રૂ ૩,૬૨,૦૦૦ તેમજ વેલા મોતીભાઈ ઝાપડીયાના ખેતર માંથી ૧૦૫ છોડ ગાંજાના જેનું વજન ૧૪૨ કિલો કિ.રૂ ૧૪,૨૦,૦૦૦ તથા મેરા મોતીભાઈ ઝાપડીયાના ખેતર માંથી ૮૪ છોડ ગાંજાના જેનું વજન ૨૩૫ કિલો કિ.રૂ ૨૩,૫૦,૦૦૦ મળી કુલ ૫૯૪ છોડ લીલા ગાંજાના જેનું કુલ વજન ૧૪૪૧.૨૦૦ કિલો ગ્રામ જેની કિમત રૂ.૧,૪૪,૧૨,૦૦૦ સાથે પાંચેયની ધરપકડ કરી હતી. આ પાંચેય શખ્સોએ અગાઉ વાવેતર કર્યું હતું કે કેમ? તેમજ કોણ કોણ ખરીદાર હતું તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રિત કરી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરવામાં આવતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યાની સૂચનાથી એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા,પીએસઆઇ એમ.એ.રાઠોડ, એએસઆઈ પ્રવિણભાઈ આલ, એએસઆઈ રવિભાઇ અલગોતર, એએસઆઈ ઘનશ્યામભાઈ મસીયાવા, એએસઆઈ ડાયાલાલ મોઘરીયા, હેડ.કોન્સ. જયરાજસિંહ ઝાલા, કોન્સ.રવિરાજભાઈ ખાચર, કોન્સ.મુન્નાભાઈ રાઠોડ, ડ્રા.કોન્સ. વિરેન્દ્રભાઈ મેટાળીયા, કોન્સ.ચેહરભાઈ ઝીંઝુવાડીયા તથા ડ્રા.કોન્સ.બલભદ્રસિંહ રાણા સહિતે આ કામગીરી કરી હતી.