એપલકંપનીના ક્ષતિગ્રસ્તએરપોડબાબતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (મુખ્ય)માંથયેલી ફરિયાદબાદ મૂળ કિંમત રૂ।.20400 ઉપરાંત રૂ।.5000નું વળતર પણ ચુંકવવા હુકમ કર્યો છે.
રાજકોટમાં રહેતા હિમાંશુ બામરોલીયાએ એપલના એરપોડ્સ લીધા હતાં. જે ખામી વાળા નીકળતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી જેથી ગ્રાહક કોર્ટે 30 દિવસમાં બ્રાન્ડ ન્યુ એકપોડ્સ અને રૂ।.5000 વળતર ચુકવવા હુકમ કરેલો કંપનીએ પેકિંગ વગર, ઝીરો બિલ વગર, ગેરન્ટી-વોરંટી આપ્યા વગરના જુના એસો તેના એજન્ટ મારફત મોકલ્યા હતાં.જેની સામે ફરિયાદીએ ફરી કોર્ટમાં દાદ માંગી હતી.ગ્રાહક કોર્ટે નોટિસ કાઢતા કંપનીએ તુરંત રૂ।.20400નો ડિમાન્ડ ડ્રાફટ અને વળતરની રકમ રૂ।.5000નો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલી કંપનીએ કેસ પાછો ખેંચી લેવા વિનંતી કરવી પડી હતી.આ કેસમાં ન્યાયમૂર્તિ ગ્રાહક સુરક્ષા આયોગ રાજકોટના પ્રમુખ પીસી રાવલ, ભટ્ટ અને સચદેવ મેડમ દ્વારા ચુકાદો અપાયો હતો.